રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે આજે ભારત જોડો યાત્રા દરમિયાન પોલીસની સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી. ટનલ માંથી બહાર નીકળ્યા બાદ પોલીસકર્મીઓ જોવા મળ્યા ન હતા
ભીડને નિયંત્રિત કરવાની જવાબદારી પ્રશાસનની- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીને 11 કિલોમીટર ચાલવાનું હતું પણ 500 મીટર જ ચાલ્યા
જમ્મુ અને કાશ્મીરના કાઝીગુંડમાં રાહુલ ગાંધીની એન્ટ્રીના એક કિલોમીટર પછી જ તેમની સુરક્ષામાં મોટી ખામી સામે આવવાનો કિસ્સો હાલ જણાવ મળ્યો છે. જણાવી દઈએ કે ત્યાં રાહુલ ગાંધીના સુરક્ષા ઘેરામાં થોડા લોકો ઘૂસી આવ્યા હતા અને આ પછી પોલીસ રાહુલ ગાંધી અને ઓમર અબ્દુલ્લાને એક કારમાં અનંતનાગ લઈ ગયા હતા. આ વિશે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કાશ્મીરમાં રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'માંથી અચાનક સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.
आज यात्रा के दौरान पुलिस की सुरक्षा व्यवस्था ध्वस्त हो गई। टनल से निकलने के बाद पुलिसकर्मी नहीं दिखे। मेरे सुरक्षाकर्मियों ने कहा कि हम और नहीं चल सकते। मुझे अपनी यात्रा रोकनी पड़ी बाकी लोग यात्रा कर रहे थे। भीड़ को काबू करना प्रशासन की जिम्मेदारी है: कांग्रेस सांसद राहुल गांधी pic.twitter.com/uQAtslBBUc
ભીડને નિયંત્રિત કરવાની જવાબદારી પ્રશાસનની- રાહુલ ગાંધી
આ કિસ્સાને લઈને અનંતનાગમાં ખુદ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેને કહ્યું હતું એક - આજે ભારત જોડો યાત્રા દરમિયાન પોલીસની સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી. ટનલ માંથી બહાર નીકળ્યા બાદ પોલીસકર્મીઓ જોવા મળ્યા ન હતા અને મારા સુરક્ષાકર્મીઓએ કહ્યું કે અમે આગળ વધી શકીએ તેમ નથી એટલા માટે મારે મારી યાત્રા રોકવી પડી. જો કે બાકીના લોકો યાત્રા કરી રહ્યા હતા. ભીડને નિયંત્રિત કરવાની જવાબદારી પ્રશાસનની છે, જેથી અમે મુસાફરી કરી શકીએ. એ પરિસ્થિતિમાં જેઓ મારું રક્ષણ કરી રહ્યા હતા તેમની સલાહને અવગણવી મારા માટે મુશ્કેલ હતું.
11 કિલોમીટર ચાલવાનું હતું પણ 500 મીટર જ ચાલ્યા
જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ શુક્રવારે 11 કિલોમીટર ચાલવાનું હતું પણ ભાગ્યે જ 500 મીટર ચાલ્યા પછી એમને યાત્રા અટકાવી પડી હતી. આ વિશે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, "સુરક્ષાના કારણોસર અમારે અસ્થાયી રૂપે યાત્રા અટકાવવી પડી, કારણ કે મંજૂર યાત્રાના રૂટ પર કોઈ સુરક્ષા ન હતી." આ સિવાય J&K અને લદ્દાખના કોંગ્રેસના પ્રભારી રજની પાટીલે ટ્વીટ કર્યું કે ' J&K પ્રશાસન શ્રી રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું. આ અયોગ્ય વલણ દર્શાવે છે.'
जम्मू-कश्मीर प्रशासन राहुल गांधी के नेतृत्व वाली भारत जोड़ो यात्रा को सुरक्षा प्रदान करने में विफल रहा है। सुरक्षा चूक केंद्र शासित प्रदेश प्रशासन के अनुचित और अप्रस्तुत रवैये का संकेत देती है: जम्मू-कश्मीर और लद्दाख की कांग्रेस प्रभारी रजनी पाटिल pic.twitter.com/iqLLq9DIKd
કેસી વેણુગોપાલે કહ્યું- 15 મિનિટથી કોઈ સુરક્ષા અધિકારી નથી
જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે રાહુલ ગાંધીની સુરક્ષામાં ભંગ પર નારાજગી વ્યક્ત કરતાં એમને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ વેણુગોપાલે સુરક્ષાના ભંગ માટે પોલીસ અધિકારીઓ અને સીઆરપીએફના જવાનોને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે 'છેલ્લી 15 મિનિટથી યાત્રાની સાથે કોઈ સુરક્ષા અધિકારી નહોતા જે એક ગંભીર ભૂલ છે. રાહુલ અને અન્ય કાર્યકરો સુરક્ષા વિના યાત્રામાં આગળ વધી ન શકે.'
આ યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થશે
ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને આ યાત્રા ગઈકાલે એટલે કે ગુરુવારે રાત્રે પંજાબથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશી હતી. જણાવી દઈએ કે 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી શ્રીનગરમાં કોંગ્રેસના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ સાથે જ યાત્રાનો અંત કરશે.