AIIMSના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ શુક્રવારે કહ્યું કે જે વિસ્તારોમાં સંક્રમણનો દર ઓછો છે ત્યાં સ્કૂલ ખોલવામાં આવી શકે છે.
સપ્ટેમ્બર સુધી બાળકોના વેક્સિનેશન શરૂ કરવાની સંભાવના
પરિણામ સપ્ટેમ્બર સુધી જાહેર થવાની આશા
AIIMSના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાનું નિવેદન
ભારતમાં સપ્ટેમ્બર સુધી બાળકોના વેક્સિનેશન શરૂ કરવાની સંભાવના છે. AIIMSના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ આજે સવારે જાણકારી આપતા જણાવ્યું કે આ કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે એક મહત્વપૂર્ણ પગલું હશે. એમ્સના ડાયરેક્ટરે જણાવ્યું કે બાળકો માટે ભારત બાયોટેકે કોવેક્સિન ટેસ્ટિંગ ચાલી રહ્યા છે અને પરિણામ સપ્ટેમ્બર સુધી જાહેર થવાની આશા છે. ફાઈઝર વેક્સિનને પહેલા જ FDAને અપ્રૂવલ મળી ચુક્યું છે. આશા છે કે સપ્ટેમ્બર સુધી અમે બાળકોને વેક્સિન શરૂ કરી દેવુ જોઈએ.
Bharat Biotech's Covaxin trials for children are presently underway and the results are expected to be released by September: Dr Randeep Guleria, AIIMS Director pic.twitter.com/IzcNppK6OR
કેડિલાએ પરિક્ષણ પૂર્ણ કર્યું
ઝાયડસ કેડિલાએ 12 અને 18 વર્ષની ઉંમરના વર્ગના બાળકો માટે પોતાનું પરીક્ષણ પુરુ કર્યું છે. અમદાવાદ સ્થિત દવા ફાર્મે 1 જુલાઈએ ZyCoV-D માટે આપાતકાલીન ઉપયોગની મંજૂરીનો અનુરોધ કરવામાં આવ્યો હતો. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના ભારતના ઔષધિ મહાનિયંત્રક દ્વારા તેને આપાતકાલીન ઉપયોગની અનુમતિ આપવામાં અમુક દિવસ વધુ લાગશે. આ કોરોના વાયરસના વિરૂદ્ધ એક પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન છે અને આ વેક્સિનના ત્રણ ડોઝ હશે.
ભારતમાં કેટલું થયું વેક્સિનેશન?
ભારતે અત્યાર સુધી 42 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપ્યા છે. અને સરકારનું લક્ષ્ય આ વર્ષના અંત સુધી દરેક યુવા વર્ગનું વેક્સિનેશન કરવાનું છે. જોકે ત્રીજી લહેરને લઈને ચિંતાની વચ્ચે દેશે અત્યાર સુધી બાળકોની એક પણ વેક્સિનને મંજૂરી નથી આપી.