કંપનીની માંગના લક્ષ્યો પૂર્ણ થતા અને વેક્સિનની માંગમાં ઘટાડો આવતા ભારત બાયોટેકે Covaxinનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.
ભારત બાયોટેક (Bharat Biotech) નો સૌથી મોટો નિર્ણય
ભારત બાયોટેક ઘટાડશે Covaxinનું ઉત્પાદન
વેક્સિનની માંગમાં ઘટાડો આવતા લીધો મહત્વનો નિર્ણય
ફાર્મા કંપની ભારત બાયોટેક (Bharat Biotech) એ જણાવ્યું કે, તેઓ હાલમાં કોવેક્સિન (Covaxin ) ના ઉત્પાદનમાં ઘટાડો કરવા જઇ રહ્યાં છે. કંપનીના જણાવ્યાં અનુસાર, વેક્સિનની માંગને હાલમાં પૂર્ણ કરી દેવાઇ છે. તમને જણાવી દઇએ કે, ભારત બાયોટેકે કોરોના સામે લડવા માટે દેશની પ્રથમ વેક્સિન તૈયાર કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં તેઓ સુવિધા અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ભારત બાયોટેકે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, છેલ્લાં એક વર્ષ દરમ્યાન સાર્વજનિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા કંપનીએ સતત કામ કર્યું છે. કંપનીના જણાવ્યાં અનુસાર હવે તેમાં અપગ્રેડની જરૂરિયાત છે. કંપની હવે બાકી રહેલી સુવિધાની જાળવણી, પ્રક્રિયા અને સુવિધાની ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કંપનીએ કહ્યું કે, ઉત્પાદન દરમિયાન કેટલાંક સારા ઉપકરણોની જરૂર હતી, પરંતુ કોરોનાના કારણે તે ઉપલબ્ધ થઈ શક્યું નથી. જો કે, કંપનીના જણાવ્યાં અનુસાર, કોરોના રસીની ગુણવત્તા સાથે કોઈ પણ સમયે બાંધછોડ નથી કરાઇ. એવી આશા રાખવામાં આવી રહી છે કે, આગામી દિવસોમાં અપગ્રેડ કર્યા બાદ રસીના ઉત્પાદનમાં હજુ વધારે નફો થશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 2, 2022
જાણો WHOએ શું કહ્યું?
તાજેતરમાં જ WHO બાદ EUL નિરીક્ષણ દરમિયાન, ભારત બાયોટેકે WHO ની ટીમ સાથે આયોજિત સુધારા પ્રવૃત્તિઓના અવકાશ પર સહમતિ વ્યક્ત કરી છે. આ સાથે એવો સંકેત પણ આપ્યો છે કે, તેને જલ્દીમાં જલ્દી વ્યવહારિક રીતે ચલાવવામાં આવશે. સ્વદેશી વેક્સિન કોવેક્સિન કોરોના સામે 77.8 ટકા અસરકારક રહી છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાંથી આ અંગેની માહિતી મળી છે. ગયા વર્ષે ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે કહ્યું હતું કે, અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓએ મેડ ઈન ઈન્ડિયા વેક્સિન - કોવેક્સિન માટે WHOની પરવાનગી ન મેળવવા માટે સખત પ્રયાસ કર્યા હતાં.