ભારત બાયોટેકની નેઝલ કોરોના વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ દિલ્હીની એમ્સમાં કરાશે. આ ક્લિનિકલ ટ્રાયલને કરવા માટે એમ્સ એથિક્સ કમિટીની પાસે અપ્રૂવલ મોકલાયું છે. આશા છે કે આવનારા 1-2 અઠવાડિયામાં આ નેઝલ વેક્સીનનું ટાર્યલ શરૂ કરાશે. આ પહેલા ભારત બાયોટેકની કોવેક્સીનનું ટ્રાયલ પણ એમ્સમાં થઈ ચૂક્યું છે.
એમ્સમા કરાશે વેક્સીનનું ટ્રાયલ
ભારત બાયોટેકની કોરોના વેક્સીનનું ટ્રાયલ દિલ્હીની એમ્સમાં કરાશે. આ ટ્રાયલના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર ડો. સંજય રાય રહેશે. આ ટ્રાયલને કરતા પહેલા એમ્સની એથિક્સ કમિટીથી મંજૂરી લેવાની રહેશે. જેની પ્રક્રિયા ચાલી રહી છે અને આશા છે કે એકથી 2 અઠવાડિયામાં તેની મંજૂરી મળી શકે છે. એમ્સના ડો. સંજય રાયનું કહેવું છે કે ટ્રાયલ ત્યારે શરૂ કરાશે જ્યારે એથિકલ અપ્રૂવલ આવશે.
વધારે પ્રભાવી હોઈ શકે છે નેઝલ વેક્સીન
એમ્સમાં ભારત બાયોટેકની કોવેક્સીનના ટ્રાયલના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર રહી ચૂકેલા ડો. સંજય રાયનું માનવું છે કે આ નેઝલ વેક્સીન વધારે પ્રભાવી હોઈ શકે છે. ડો. સંજય રાયે કહ્યું કે સંક્રમણને રોકવામાં તે અસરકારક રહેશે. તેને ઈન્જેક્શન નહીં પણ નાકથી અપાશે. તેનાથી ઈન્ફેક્શન રોકવામાં મદદ મળી શકે છે. આ પ્રકારની વેક્સીન કારગર રહેશે કેમકે કે મ્યૂકોસલ ઈમ્યૂનિટી આપશે. હાલમાં આ પ્રકારની વેક્સીન કારગર રહેશે કેમેકે તે મ્યૂકોસલ ઈમ્યુનિટી આપશે. હાલમાં જે વેક્સીન છે તે ઈન્ફેક્શનને રોકવામાં કારગર નથી. તે સિવિરિટિને રોકવામાં કે ડેથને રોકવામાં કારગર છે.
300 લોકો પર કરાશે ટ્રાયલ
આ નેઝલ વેક્સીનના બીજા અને ત્રીજા ચરણનું ટ્રાયલ એમ્સમાં કરાશે. આ વેક્સીનના બીજા ચરણના ટ્રાયલને લગભગ 300 લોકો પર કરાશે. પહેલા ડોઝ બાદ બીજો ડોઝ એક મહિના બાદ અપાશે. આ પછી ત્રીજા ચરણમાં ડબલ બ્લાઈન્ડ ટ્રાયલ થશે. જેમાં ક્લિનિકલ ટ્રાયલ વોલેન્ટિયરને નેઝલ વેક્સિન અને અન્ય પ્લેસિબો અપાશે. ભારત બાયોટેકની વેક્સીનનું ક્લિનિકલ ટ્રાય બીજા અને ત્રીજા ચરણ, બૂસ્ટર ડોઝ અને 2-18 વર્ષના બાળકોમાં કોવેક્સીનના ટ્રાયલ પણ દિલ્હીની એમ્સમાં થયા છે.