ભારત બાયોટેકના ડો. રાચેસ એલ્લાએ નિવેદન આપતાં કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઇ બાળકો માટેની વેક્સિન કોવેક્સિનનું ટ્રાયલ જૂન મહિનામાં શરૂ કરાશે.
ભારત બાયોટેકના ડો. રાચેસ એલ્લાનું નિવેદન
બાળકો માટેની વેક્સિનનું થશે ટ્રાયલ
કોવેક્સિનનું ટ્રાયલ જૂનમાં થશે શરૂ
ભારત બાયોટેકના ડો. રાચેસ એલ્લાનું નિવેદન આપતાં કહ્યું છે કે કંપની કોવેક્સિનનું પીડિએટ્રિક ટ્રાયલ્સ જૂનમાં શરૂ કરી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો ઝડપથી શિકાર બની રહ્યા છે ત્યાર ભારત બાયોટેકને 2થી 18 વર્ષના બાળકોની વેક્સિનના ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે. આ સાથે જ તેઓને આશા છે કે આ વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટર સુધીમાં WHO તરફથી વેક્સિનને મંજૂરી મળી શકે છે.
કંપનીએ શું કહ્યું
કંપનીએ કહ્યું કે અમને ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી રહી છે. કોવેક્સિન કોરોના સંક્રમણ સામે લોકોનો જીવ બચાવી રહી છે. સરકારે 1500 કરોડ ડોઝનો એડવાન્સ ઓર્ડર આપ્યો છે. જેના કારણે હાલમાં કંપની બેંગલુરુ અને ગુજરાતમાં પણ વેક્સિન બનાવી રહી છે. આ વર્ષ સુધી કંપની વેક્સિન નિર્માણ ક્ષમતા 70 કરોડ ડોઝ કરી લેશે. હાલમાં કોવેક્સીન કોરોના વાયરસના સંક્રમણ પર પણ સારું કામ કરી રહી છે અને લોકોના જીવ બચાવી રહી છે.
કંપનીના અધિકારીએ એમ પણ કહ્યું કે અમને આશા છે કે અમને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંજૂરી જલ્દી જ મળી જશે. તેઓએ વિશ્વાસ રાખ્યો છે કે આ વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટર સુધીમાં WHO તરફથી વેક્સિનને મંજૂરી મળી શકે છે. હાલમાં અમારું ફોકસ વેક્સિનની ક્ષમતાને વધારવાનું છે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધારે ખતરો
હેલ્થ એક્સપર્ટ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે ખતરો હોવાનું અનુમાન કરી ચૂક્યા છે. એવામાં જરૂરી છે કે ત્રીજી લહેર પહેલા જ બાળકોને પ્રભાવી અને સુરક્ષિત વેક્સિન આપી દેવામાં આવે. દેશમાં કોરોના સંક્રમણની સામે 3 વેક્સિન કોવિશિલ્ડ, કોવેક્સીન અને રશિયાની સ્પૂતનિક વીને પણ ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી છે.