બાળકોના વેક્સિનેશન માટે બાળકો પર વેક્સિનનું ટ્રાયલ જલ્દી શરૂ કરાશે. આ ટ્રાયલમાં 3 ગ્રૂપ 12-18 વર્ષ, 6-12 વર્ષ અને 2-6 વર્ષના રખાશે.
બાળકો પર વેક્સિનનું ટ્રાયલ જલ્દી શરૂ કરાશે
ભારત બાયોટેકની કોવૈક્સિનનું ટ્રાયલ કરાશે શરૂ
બાળકોનું વેક્સિન માટેનું ટ્રાયલ 3 ગ્રૂપમાં કરાશે
ટ્રાયલ સમયે બાળકોનુ રાખવાનું રહેશે ખાસ ધ્યાન
સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ચિંતા દેખાડી ચૂક્યા છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સાથે રાહતની વાત એ સામે આવી રહી છે કે દેશમાં બાળકો પર કોરોનાની વેક્સિનનું ટ્રાયલ જલ્દી શરૂ થશે. બાળકો પર ભારત બાયોટેકની વેક્સીન કોવૈક્સીનનું ટ્રાયલ કરાશે. આ માટે DCGIએ જે સંસ્થાને મંજૂરી આપી છે તેમાં દિલ્હી એઈમ્સ, પટના એઇમ્સ અને નાગપુરની Meditrina Institute of Medical Scienceનું નામ સામેલ છે. આ આગામી ટ્રાયલને લઈને મેડિટરિના ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરે કેટલીક માહિતી આપી છે.
3 ગ્રૂપમાં કરાશે બાળકોનું ટ્રાયલ
મેડિટરિના ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરે કહ્યું કે હાલમાં બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરાશે. 3 ગ્રૂપમાં બાળકો પર કોવૈક્સિનનું ટ્રાયલ કરાશે. આ ટ્રાયલમાં 3 ગ્રૂપ 12-18 વર્ષ, 6-12 વર્ષ અને 2-6 વર્ષના રખાશે. ડોક્ટરે કહ્યું કે જે બાળકોને ટ્રાયલમા સામેલ કરાશે તેમને માટે શરત હશે કે તે સ્વસ્થ હોવા જોઈએ. છેલ્લા 15 દિવસમાં તેમને કોઈ શરદી, ખાસી કે તાવ આવ્યો ન હોવો જોઈએ. જે બાળકો ટ્રાયલમા સામેલ થશે તેમના માતા પિતાના ઈન્ટરવ્યૂ પણ લેવાશે અને તેમની મંજૂરી બાદ બાળકોને ટ્રાયલમાં સામેલ કરાશે. આ સાથે ડોક્ટરે કહ્યું કે બાળકોને વેક્સિન આપ્યા બાદ નિયમ અનુસાર તેમના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરાશે. સાથે બાળકોમાં એન્ટીબોડી બની રહી છે કે નહીં અને કેટલી બની રહી છે તેની તપાસ માટે એન્ટીબોડી ટાઈટર ટેસ્ટ કરાશે. પહેલા ડોઝ આપ્યા બાદ 28 દિવસ કે 30 દિવસ બાદ બાળકોને બીજો ડોઝ અપાશે. કુલ ટ્રાયલનો સમય 212 દિવસનો રહેશે. ડોક્ટરનું કહેવું છે કે ત્રીજા ચરણના બાદ ફરીથી DCGI અને CDSOની મંજૂરી લેવામાં આવશે. જો આ મંજૂરી મળશે તો તરત જ બીજા ચરણનું ટ્રાયલ શરૂ કરાશે.
વયસ્કની વેક્સિનની બાળકો પર શું થાય અસર
કોવૈક્સિનનો જો ડોઝ વયસ્ક માટે તૈયાર કરાયો છે તે જ ડોઝ બાળકોને આપી શકાય તેને લઈને ડોક્ટરનું કહેવું છે કે આ વેક્સિના બરાબર છે પરંતુ તેનો ડોઝ ઓછો કરવો પડે. આ ટ્રાયલનો હેતુ તે જાણવાનો છે કે વેક્સિનની બાળકોની ઇમ્યુનિટી પર શું અસર થઈ રહી છે. તેમાં વાયરસના વિરોધમાં એન્ટીબોડી બની રહી છે કે નહીં.
ત્રીજી લહેરમાં બાળકોને શા માટે છે ખતરો
આ સવાલના જવાબમાં ડોક્ટર કહે છે કે દુનિયામાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેનાથી વાયરસમાં ફેરફાર આવી રહ્યા છે. તેના આધારે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ અનુમાન કર્યું છે કે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોઈ શકે છે. આ ક્યારે આવશે, કેટલા દિવસ ચાલશે તેને લઈને ચોક્કસ માહિતી મળી રહી નથી.
ઉલ્લેખનીય છે કે 2 વર્ષના બાળકો પર થનારું કોરોના વેક્સિનનું આ દુનિયાભરમાં પહેલું ટ્રાયલ છે. અન્ય દેશમાં જે ટ્રાયલ ચાલી રહ્યા છે તેમાં વધારે ઉંમરના બાળકો ભાગ લઈ રહ્યા છે. પણ 2 વર્ષના બાળકો પર વેક્સિનનું આ પહેલું ટ્રાયલ હશે.