ભારત બાયોટેક રસીની ટ્રાયલ દરમિયાન ભોપાલમાં વોલેન્ટિયરના મોત અંગે ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી છે. કંપની તેની રસી ત્રીજો તબક્કાની ટ્રાયલમાં ચાલી રહી છે.
ભોપાલમાં વોલેન્ટિયરના મોતને લઇને ભારત બાયોટેકનો ખુલાસો
રસીના કારણે નથી થયું મોત
સંભવિત કારણ હૃદયરોગની નિષ્ફળતા હોઈ શકે
કંપનીએ કહ્યું કે રસી સ્વયંસેવકને રસીના અજમાયશની તમામ નિયમો અને શરતો વિશે માહિતી આપવામાં આવી છે. રસી આપ્યા બાદ આવતા 7 દિવસ સુધી તેની સારવાર કરવામાં આવી અને તેમાં કોઈ વિપરીત લક્ષણો જોવા મળ્યા નહીં.
સંભવિત કારણ હૃદયરોગની નિષ્ફળતા હોઈ શકે
ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર, એનરોલમેન્ટ સમયે, વોલેન્ટિયરે ફેઝ 3 ના ટ્રાયલના તમામ માનાંકો પૂર્ણ કર્યા હતા. ડોઝ આપ્યા બાદ 7 દિવસ સુધી તેને સાઇટ પર દેખરેખ હેઠળ સંપૂર્ણ સ્વસ્થ દેખાયો હતો. કોઈ પ્રતિકૂળ ઘટનાઓ જોવા મળી ન હતી અથવા રિપોર્ટ મળ્યો નથી. ગાંધી મેડિકલ કોલેજ, ભોપાલ દ્વારા જાહેર કરાયેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃત્યુનું સંભવિત કારણ હૃદયરોગની નિષ્ફળતા હોઈ શકે છે, જે ઝેરને કારણે થઈ શકે છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. ડોઝ આપ્યા પછી 9 દિવસ પછી વોલેન્ટિયરનું મોત નીપજ્યું. પરીક્ષણ કેન્દ્રની પ્રારંભિક સમીક્ષાઓ સૂચવે છે કે મૃત્યુ અને રસી ડોઝ સંબંધિત નથી. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, કંપની વોલેન્ટિયરને રસી આપવામાં આવી હતી કે પ્લેસબો તે જણાવી શકે તેમ નથી. કારણ કે સ્ટીડીમાં હજી કોઇ ખુલાસો કર્યો નથી.
શું બની ઘટના
ભોપાલની પીપલ્સ મેડિકલ કોલેજમાં 12 ડિસેમ્બરના રોજ કોવેક્સિનના ટ્રાયલનો ડોઝ લેનાર 47 વર્ષીય વોલેન્ટિર દિપક મરાવીનું 21 ડિસેમ્બરના દિવસે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, વેક્સિનના કારણે તેનું મોત થયું હોય તેવી આશંકા છે અને પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે.
22 ડિસેમ્બરના રોજ તેમના શબનું પોસ્ટમોર્ટમ થયું
પોલીસે 22 ડિસેમ્બરના રોજ તેમના શબનું પોસ્ટમોર્ટમ કર્યું. તેના પ્રથમ રિપોર્ટમાં શબમાં ઝેર હોવાની પુષ્ટિ થઇ હતી. મોત કોવેક્સિનની રસીના કારણે થયું કે અન્ય કોઇ કારણોસર તે હજી સુધી ફાઇનલ રિપોર્ટ ન આવે ત્યા સુધી સ્પષ્ટ થઇ શકે તેમ નથી. દિપકના શબના વિસરા પોલીસને સોંપવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, ભારત બાયોટેક અને ICMR દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી વેક્સિનનું 7 જાન્યુઆરીએ ફાઇનલ ટ્રાયલ પુરું થયું છે.
અચાનક તબિયત બગડી
મળતી માહિતી મુજબ પોલીસ વિસેરાનું કેમિકલ વિશ્લેષણ કરશે. મૃતકના પુત્ર આકાશે પોલીસને જણાવ્યું હતું કે 19 ડિસેમ્બરે પપ્પા દિપકને અચાનક ગભરાટ, બેચેની, ઉબકા આવવા લાગ્યાં હતાં. જો કે, તેઓએ તેને કોઈ સામાન્ય રોગ માન્યો ન હતો. આકાશના જણાવ્યા મુજબ, ડોસા મળ્યા બાદ પિતાએ મજૂરી કરવા જવું બંધ કરી દીધું હતું, તે કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા હતા.
ખબર-અંતર પૂછવા ફોન આવ્યા પણ રૂબરૂ કોઇ ન આવ્યું
આકાશે વધુમાં જણાવ્યું હતું કે, પિતાજીની તબિયત 19 ડિસેમ્બરના રોજ બગડી હતી અને 21 ડિસેમ્બરના રોજ તેમનું નિધન થયું હતું. ત્યારે તેઓ ઘરમાં એકલા હતા. માં કામથી બહાર ગઇ હતી અને નાનો ભાઇ બહાર રમી રહ્યો હતો.જો કે, નિધનના બીજા દિવસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આકાશે કહ્યું કે, ડોઝ લીધા બાદ હોસ્પિટલમાંથી ખબર-અઁતર પૂછવા માટે ફોન આવતા હતા પરંતુ પિતાના નિધનની જાણકારી લેવા માટે પીપલ્સ પ્રબંધનથી 3 વાર ફોન જરૂર આવ્યા પરંતુ વ્યક્તિ ન આવ્યું કોઇ.