કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધમાં આજે ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ સમયે આ બંધને 24 વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. આ સિવાય ખેડૂતોના અનેક ટ્રેડ યૂનિયને પણ ભારત બંધ માટે સમર્થન આપ્યું છે. મંગળવારે ભારત બંધ રહેશે અને સાથે બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ રહેશે. આ બંધ શાંતિપૂર્ણ રહેશે. તો જાણો આ સમયે કઈ ચીજો માટે દુકાનો ખુલ્લી રહેશે અને શું રહેશે બંધ.
આજે ભારત બંધનું એલાન
કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોનું આંદોલન
બપોરે 3 વાગ્યા સુધી રહેશે ચક્કાજામ
જાણો શું ચાલુ રહેશે અને શુ રહેશે બંધ
ખેડૂત નેતા બલદેવ સુંહ યાદલે કહ્યું કે 8 ડિસેમ્બરે ભારત બંધ રહેશે. સવારથી સાંજ સુધી આ બંધ ચાલુ રહેશે. બંધ સમયે એમ્બ્યુલન્સ અને આપાતકાલીન સેવાઓ ચાલુ રહેશે. હડતાલ સમયે વેપાર અને દુકાનો બંધ રહેશે.
દિલ્હી ટેક્સ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ્સ એસોશિયેશનના અધ્યક્ષે કહ્યું કે દિલ્હી સ્ટેટ ટેક્સી કોઓપરેટિવ સોસાયટી અને કોમી એકતા વેલફેર એેસોશિયેશન પણ 8 ડિસેમ્બરે ભારત બંધનું સમર્થન કરશે. પ્રમુખ રીતે ઓલા ઉબેરના ડ્રાઈવરની સર્વોદય ડ્રાઈવર એસોસિયેશન પણ સમર્થન આપશે.
અનેક બેંકિંગ યૂનિયન પણ બંધના સમર્થનમાં રહેશે જેથી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિયેશન અને ઈન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કાંગ્રેસે સરકારને ખેડૂતોની સમસ્યા હલ કરવા અપીલ કરી છે.