સુરેન્દ્રનગર: સમગ્ર દેશમાં દલિતો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે.
બસ સ્ટેન્ડમાં રહેલી બસમાં તોડફોડ કરી બસમાં આગ લગાવી હતી. જેના કારણે બસ સ્ટેન્ડમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ આ ઘટનાને લઈ પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે SC-ST એક્ટ મુદ્દે દેશની વડી અદાલતે સંભળાવેલ નિર્ણય બાદ દલિત સંગઠનો દ્વારા આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવેલ. જેને અનુસંધાને દેશભરમાં રહેલા દલિત સમાજના લોકો દ્વારા ચક્કાજામ કે સરકારી વાહનોને નુકસાન પહોંચાડીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આજરોજ રાજ્યભરમાં વિવિધ દલિત અગ્રણીઓ અને સમુદાયના લોકોએ આ કાયદા બાબતે વિરોધ કર્યો હતો.