ખેડૂત આંદોલનને ચાર મહિના પૂર્ણ થવા પર આજે ખેડૂતો દ્વારા ભારત બંધ કરવામાં આવ્યું છે.
ખેડૂતોનું આજે ભારત બંધ
દિલ્હી આસપાસની બોર્ડર પર જોવા મળી અસર
અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી
કૃષિ કાયદાની સામે આજે ખેડૂતોના આંદોલનને ચાર મહિના પૂરા થઈ ગયા છે ત્યારે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધના એલાન પર પંજાબ અને હરિયાણામાં બંધની અસર જોવા મળી રહી છે. 12 કલાક લાંબા બંધમાં પંજાબ અને હરિયાણામાં બંધની મોટી અસર જોવા મળી રહી છે. સામાન્ય જન જીવન પણ પ્રભાવિત થયું છે. ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાં રેલના પાટાઓ પર ચક્કાજામ કર્યો હતો.
#WATCH A group of protesters sing and dance at Ghazipur border (Delhi-UP) during 12-hour 'Bharat Bandh' called by Samyukt Kisan Morcha against Centre's Farm Laws pic.twitter.com/gkPWwKnTiP
Ambala: Protesters block GT Road and railway track near Shahpur, in view of 12-hour 'Bharat Bandh' call by Samyukt Kisan Morcha against Centre's Farm Laws#Haryanapic.twitter.com/1D6k4qjPlN
Protesters block the Ghazipur border (Delhi-UP border) in view of 12-hour 'Bharat Bandh' call by Samyukt Kisan Morcha against Centre's Farm Laws pic.twitter.com/JnmmPXixJd
આજે વિરોધ દરમિયાન ખેડૂત સંગઠનોના કાર્યકર્તાઓએ પંજાબમાં કેટલીક જગ્યાઑ પર દુકાનદારોને કામ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્યના સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે વિરોધને જોતાં કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે બંને રાજ્યોમાં પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
શાકભાજી અને દૂધ પણ રોકવામાં આવશે : ખેડૂત નેતા
ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ સુખદેવ સિંહ કોકરી કલાંએ કહ્યું કે ખેડૂતો આજે રેલ અને સડકને આંદોલનમાં સંપૂર્ણપણે રોકી દેશે અને સાથે જ ટેક્સી અને વાહનોને પણ અનુમતિ આપવામાં આવશે નહીં. ટ્રક યુનિયન દ્વારા પણ ખેડૂતોનું સમર્થન કરવામાં આવ્યું છે.
ક્યાં કેવી અસર
દિલ્હીથી ચંડીગઢ, અમૃતસર અને કાલકા જતી ઘણી બધી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. ગાઝીપૂર બોર્ડર પર બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે સંયુક્ત કિસાન મોરચાના નેતા દર્શન પાલે સંદેશ આપ્યો છે કે પ્રદર્શનકારી ખેડૂતો આજે શાકભાજી અને દૂધની આપૂર્તિ પણ રોકી દેશે. વિરોધ કરનારા ખેડૂતોને શાંતિ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.