આજે ભારત બંધના એલાન દરમિયાન અનેક સ્થળો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આ વીડિયો થઈ રહ્યા છે વાયરલ.
ભારત બંધ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રહેશે
ભારત બંધના એલાનને પગલે રોડ પર ટ્રાફિક જામ
જામના ફોટો વીડિયો થઈ રહ્યા છે વાયરલ
ભારત બંધ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રહેશે
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી આજે ભારત બંધનું આહ્વાન કર્યુ છે. ભારત બંધ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રહેશે. તેવામાં જો તમે ગુરગાવ અથવા નોઈડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને રજોકરી બોર્ડર અને ડીએનડીથી જવું અવોઈડ કરવું પડશે. ભારત બંધની જગ્યાએ દિલ્હી ગુરગાવ બોર્ડરની સાથે જ નોઈડાના ડીએનડી પર ભારે જામ લાગી ગયો છે. જામની જગ્યાએ વાહન ચાલક કલાકો ફસાયેલા રહેશે. ગુરુગ્રામ જવાના રસ્તામાં રજોકરી બોર્ડર પર લાંબો જામ લાગેલો છે. સંયુક્ત ખેડૂત મોર્ચાના આહ્વાન પર સિંધુ બોર્ડર પર પ્રદર્શનકારી ધરણા કરી રહ્યા છે.
ટ્રાફિક અપડેટ - 11.00 વાગે
નોઈડા - DND ટોલ તરફ જનારા લૂપ પર વાહન વ્યવહાર સામાન્ય સ્પીડથી ચાલી રહ્યો છે. DND પર ટ્રાફિક સામાન્ય ગતિથી ચાલી રહ્યો છે. ડીસીપી ટ્રાફિક તથા ટ્રાફિક પોલીસકર્મી સ્થળ પર હાજર છે.
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) September 27, 2021
ટ્રાફિક અપડેટ-10.40
દિલ્હી - ગાજીપુર માર્ગ પર બન્ને તરફથી આવાન જાવન બંધ. ગાઝિબાદથી દિલ્હી જનારા નોઈડા થઈ જઈ શકો છો. નોઈડા ટ્રાફિક પોલીસે 9971009001 હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.
Massive traffic snarl seen at Gurugram-Delhi border as vehicles entering the national capital are being checked by Delhi Police and paramilitary jawans, in wake of Bharat Bandh called by farmer organisations today. pic.twitter.com/dclgkqp3X1
દિલ્હી ગુડગાવ જનારા રસ્તામાં મહિપાલ પુરથી આગળ રજોકરી બોર્ડર પર લાંબો જામ લગાવી રહ્યા છે. બોર્ડર પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ કારણથી વાહનોની લાંબી લાઈન લાગી રહી છે.
#WATCH: संयुक्त किसान मोर्चा के द्वारा आज भारत बंद के ऐलान के चलते दिल्ली-गुरुग्राम बॉर्डर पर गाड़ियां का लंबा जाम देखा गया। pic.twitter.com/8n2zMhxvdE
રાકેશ ટિકૈતે કહ્યું કે અમે લોકોને પહેલા જ સતર્ક કર્યા હતા
ખેડૂત બંધને લઈને ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તાના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે લોકોને પહેલા જ સતર્ક કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે લોકોને લંચ બાદ જ ઘરની બહાર નિકળવાનું કહ્યું હતુ. ટિકૈતે કહ્યું કે આજે શામ 4 વાગ્યા સુધી બંધ રહેશે. લોકોને અપીલ છે કે લંચ બાદ જ નીકળો. નહીં તો જામમાં ફસાઈ જશે. એમ્બ્યૂલન્સ, ડોક્ટર અને વધારે જરુરિયાત મંદોને કાઢવામાં આવશે. દુકાનદારોને પણ અપીલ છે કે તે દૂકાન બંધ રાખે.