કેન્દ્રએ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સોમવારે જાહેર કર્યા ખેડૂતનું ભારત બંધ શરુ થઈ ગયું છે આ દરમિયાન ખેડૂતો અલગ અલગ હાઈવે પર ચક્કા જામ કરશે અને સાથે રેલવે લાઈનને રોકશે. દિલ્હી ટ્રાફિક પોલિસ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ગાજીપુર બોર્ડર પર વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. તો ખેડૂતોને પંજાબ અને હરિયાણાની વચ્ચે શુંભ બોર્ડરને જામ કરી દેવામાં આવી છે. ખેડૂત સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચક્કા જામ કરવા અને વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ, લેફ્ટ પાર્ટિયો, આરજેડી, બીએસપી અને એસપી સહિત દેશની લગભગ તમામ વિપક્ષ પાર્ટીને સમર્થન આપવાનું એલાન પહેલા જ કરી દીધું છે.
Delhi-Amritsar National Highway blocked at Shahabad in Haryana's Kurukshetra by protesting farmers, agitating against farm laws.
Farmer organisations have called a “Bharat Bandh” today against the three farm laws. pic.twitter.com/8IhoCCgFIC
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હું ખેડૂતોને આગ્રહ કરુ છુંકે તેઓ આંદોલન છોડીને મંત્રણાનો માર્ગ અપનાવો. સરકાર તેમના વાંધા-વચકાઓનો વિચાર કરવા તૈયાર છે અને આ પહેલા પણ અનેક વાર મંત્રણા કરી ચૂકી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખશે.
આ વિપક્ષી પાર્ટીઓ આપી રહી છે ભારત બંધનું સમર્થન
કોંગ્રેસ અને આરજેડી ઉપરાંત આપ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને લેફ્ટ પાર્ટીઓએ ભારત બંધનો સાથ આપવાનું એલાન કર્યું છે. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વીટ કરી. ભાજપ સરકારના કાળા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના સમાજવાદી પાર્ટી પૂર્ણ સમર્થન કરે છે. ખેડૂત વિરોધી કાળા કાયદાને સરકાર પાછો લે.
"In view of the Bharat bandh call by protesting farmers, we have blocked the Shambhu border (Punjab-Haryana border) till 4 pm," says a farmer
અખિલ ભારતીય બેંક અધિકારી પરિસંઘે પણ ભારત બંધને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. એઆઈબીઓસીએ સરકારના સંયુક્ત ખેડૂત મોર્ચાની માંગ પર તેમની સાથે ફરી વાતચીત શરુ કરવા અને 3 વિવાદિત કૃષિ કાયદાને રદ્દ કરવાની અપીલ કરી.
દિલ્હી પોલીસ એલર્ટ પર
દિલ્હી પોલીસે ભારત બંધનાં એલાન બાદ 15 જિલ્લા પોલીસને એલર્ટ પર રાખી છે. દિલ્હી પોલીસે ભારત બંધની પહેલા રાષ્ટ્રીય રાજધાનીના સીમાવર્તી વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દીધી છે. ચોક પર વિશેષ રુપથી બોર્ડર વિસ્તાર ઉપરાંત વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કરનારાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. બોર્ડર વિસ્તાર પર મેટ્રો સ્ટેશન અને નવી દિલ્હીમાં આવનારા મેટ્રો સ્ટેશન પર સીઆઈએસએફ, ડીએમઆરસી દિલ્હી પોલીસની સાથે એલર્ટ પર રહેશે.