ભાણવડ ખાતે કિશાન કોંગ્રેસ દ્વારા કરવામા આવેલી જનતા રેડમાં સરદાર નિર્મલ ખાતરમા 3થી 7 કિલો જોવા મળતા DAP બાદ સરદાર નિર્મળ ખાતરમાં ઓછું ખાતરનું કૌભાંડ બહાર આવ્યું હતું જેના પગલે તંત્ર દ્વારા ડેપોને સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દ્વારકાના ભાણવડ ખાતે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જનતા રેડમાં આ મામલો સામે આવ્યો હતો. ચૂંટણી પહેલા 700 ગ્રામ ખાતર ઓછું આવવાની ફરિયાદ હતી ચુંટણી પછી 3થી 7 કિલો ખાતર ઓછું આવતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો. દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્રમા જીએસએફસીના ખાતર ઓછું હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં હરિશ નટવર થાનકી 50 થેલી ખાતર ખરીદ્યું બધામાં ઓછું ખાતર આવ્યું સરેરાશ 5 કિલો ઓછું ખાતર નીકળ્યું ત્યાર બાદ ઉમર મામદ ભાઈ 5 થેલી ખાતર ખરીધ્યું બધામાં 6 કિલો સરેરાશ ખાતર ઓછું આવ્યું હતું. ત્યારબાદ મામદ અસાબભાઈએ 6 થેલી ખાતર ખરીદ્યું સરેરાશ 5.5 કિલો ખાતર ઓછું આવ્યું હતું, જીએસએફસીના ડેપોમાં પડેલા સ્ટોકની 5 થેળીનું વજન કરવામાં આવ્યું જેમાં સરેરાશ 5 કિલો વજન ઓછું આવ્યું, આમ સરેરાશ 5 થી 6 કિલો વજન ઘટ આવી હતી.
આમ ત્રણ ખેડૂતોની ફરિયાદના આધારે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ભાણવડ સ્થિત જીએસએફસીના ડેપો પર જનતા રેડ કરવામાં આવતા ત્યાં ઉપસ્થિત સરદાર નિર્મળ ખાતરમાં દરેક થેલીએ 5 કિલોથી 7 કિલો જેટલું ખાતર ઓછું આવ્યું હતું. ત્યારબાદ મામલતદાર શ્રી ભાણવડ સાથે વાત કરી ખેડૂતોએ લીધેલ ખાતરને રીક્ષા ભરી મામલતદાર ઓફિસે લઈ જવામાં આવ્યું હતું અને મામલતદારના પુરવઠા વિભાગ પાસે 2 થેલી આપી વજન કરવા કહ્યું અને આ 2 થેલી મામલતદાર ઓફિસમાં જ રાખવા વિનંતી કરવામાં આવી હતી.
ત્યારબાદ કિસાન કોંગ્રેસ દ્વારા જીએસએફસીનો ભાણવડ ખાતેનો ડેપો ખોલાવી તેમાં પડેલ સરદાર નિર્મલ ખાતરનો સ્ટોકને કબ્જામાં લેવામાં આવે અથવા તો ડેપોને સીલ કરવામાં આવે તેવી કિસાન કોંગ્રેસની સતત માંગના કારણે તંત્રએ અંતે જુકવું પડ્યુ હતું. મામલતદાર, પુરવઠા વિભાગ, ખેતી નિયામક (વિસ્તરણ), તોલમાપ વિભાગ, કલેકટર બધા જ એકબીજા પર જવાબદારી ઢોળતા રહ્યા અને 8 વાગ્યે પંચરોજ કામ કરી સંતોષ માની લીધેલા તંત્રએ કિસાન કોંગ્રેસની કાયદાકીય લડત સામે અંતે જુકવું પડ્યું હતું
જ્યારે તંત્રએ અંતે આજે જીએસએફસીના ડેપોને સીલ કરવો પડ્યો, જે ખેડૂતે ખાતર લઈ ઓછું ખાતરની ફરિયાદ કરી હતી, તેના માલનું વાજન તોલમાપ વિભાગે કરી ખેડૂતની કાયદેસરની ફરિયાદ પણ લેવી પડી. આવતીકાલે સવારે ખુલતી ઓફિસે ડેપો ખોલાવી તેમાં પડેલા સ્ટોકનો વજન કરી તોલમાપ વિભાગને જ ફરિયાદી બનાવી જીએસએફસી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.