ઇન્દોરઃ સંત ભૈય્યુજી મહારાજ સુસાઇડ કેસ મામલે પોલીસને નવી જાણકારીઓ મળી છે. જાણવા મળ્યું છે કે પોતાની જાતને ગોળી માર્યાના સાત દિવસ પહેલાથી મહારાજ તણાવમાં આવી ગયા હતા. આ તણાવ માત્ર પત્ની અને દીકરી કુહૂનો નથી પરંતુ બીજા પણ. કેટલાક ટ્રસ્ટીઓ ધીરેધીરે પદ છોડી ચૂક્યા હતા. ઉદ્યોગપતિ અને દાન આપનારા સતત ઓછા થઇ રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાં જ ધમકી મળતી હતી કે તેમનુ ચરિત્ર ખરાબ કરી દેવામાં આવશે. દીકરીને લંડન મોકલવા અને પત્ની વચ્ચે ચાલી રહેલ મથામણથી રોજ ઝઝૂમી રહ્યા હતા.
દીકરીને લંડન શિફ્ટ કરવામાં 10 લાખ રૂપિયાથી વધુ ખર્ચ થઇ રહ્યા હતા. ઘરના લોકો તેના પર પણ મનાઇ કરી રહ્યા હતા. પરિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને જાણ થઇ કે તેમણે તેમની છાપ ખરાબ થવાનો સૌથી વધુ ડર હતો.
ચોતરફથી ટેન્શનમાં હતા ભૈય્યુજી
1. પરિવારઃ દીકરીને લંડન મોકલાનો વિરોધ પોલીસને એ જાણ થઇ કે આત્મહત્યાના બે દિવસ પહેલા ભૈય્યુજી મહારાજને કોઇ સાથે 10 લાખ રૂપિયાની લોનની ચર્ચા પણ કરી હતી.
- કદાચ આ લોનને તેઓ દીકરીને લંડન મોકલવા માટે લેવા ઇચ્છતા હતા. તેને લઇને પણ પરિવારમાં વિવાદ થતો રહેતો હતો. ત્યારે પત્નીના પરિવારવાળા મહારાજની દરેક પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા.
2. જાણકારઃ એકલામાં ફોન પર કરતા હતા વાત
- કેટલાક ફોન આવતા જ તેઓ દુવિધામાં મુકાઇ જતા હતા. કેટલીક વાર સેવાદાર વિનાયક અને અન્ય લોકોને દૂર કરીને એકલામાં વાત કરતા હતા. એક કન્ટ્રક્શન વ્યવસાયીનો ફોન આવતા તેઓ ટેન્શનમાં આવી જતા હતા. આ વાત તેમની પત્ની અને માતા-પિતાએ પણ માની છે.
- તેમણે જે નંબર પર સૌથી વધુ વાતો કરી તે દીકરી પત્ની વિનાયક પાડોશી મનમીત અરોરા અને પુણના સેવાદાર અનમોલ ચૌહાણના છે.
3. ટ્રસ્ટઃ કેટલાક પ્રમુખ લોકો છોડી ગયા હતા સાથ
- બીજા લગ્ન બાદથી મહારાજનું વર્ચસ્વ ઓછુ થવા લાગ્યું હતું. સૂર્યોદય ટ્રસ્ટથી જોડાયેલ કેટલાક પ્રમુખ લોકોએ ધીરે-ધીરે તેમનો સાથ છોડી દીધો હતો. એટલા માટે તેમનો કોઇ પર વધુ વિશ્વાસ નહોતો આવી રહ્યો.
- ગરીબ લોકો માટે જે સેવા કાર્ય શ્રી સદગુરૂ દત્ત ધાર્મિક અને પાર્માર્થિક ટ્રસ્ટ શરૂ કર્યુ હતું તેનુ સંચાલન વ્યવસ્થિત ન થવાનો ડર પણ સતાવી રહ્યો હતો. મહારાષ્ટ્રથી આવનારા ભક્તોની સંખ્યા પણ ઘટી ગઇ હતી.
4. પ્રોપર્ટીઃ કેટલીક સંપત્તિઓનો નાશ કર્યો
- એ પણ માહિતી મળી કે મહારાજે સાત-આઠ મહિનામાં પોતાની કેટલીક સંપત્તીઓનો નાશ કરી દીધો હતો. તેઓ બધુ સંકેલીને દીકરીને લંડન મોકલીને સેટ કરવાના પ્રયાસમાં હતા.
- જો કે પત્ની અને સાસરીયાના લોકોની દખલગીરી તેમના જીવનમાં ઝડપથી વધી રહી હતી.
મોડી રાત્રે પોલીસે દીકરી અને સેવાદારનું નિવેદન
- કુહૂએ કહ્યું કે હું મારી પહેલી મા(માધવી)ને જ મા માનતી હતી. ડો.આયુષીને નહીં. મને આયુષી સાથે બાબાના લગ્નની જાણકારી પણ નહોતી. મને લગ્ન વિશે જાણ પર કરવામાં આવી નહોતી. મારી મા ની જગ્યા કોઇ ન લઇ શકે.
- વિનાયકે કહ્યું કે મહારાજે કેટલાક ટ્રસ્ટીઓ છોડી જવા અને મકાનના લેણાને લઇને તણાવમાં હતા. આયુષીને નોકરી પર રાખવાની સાથે આશ્રમનું ટ્વિટર હેન્ડલ કરવાની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ લગ્ન થયા.