રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું કે જો કોઇ ભારતમાં કામ કરવા માગે છે તો તે હિન્દુઓના સશક્તિકરણ માટે કરે. ભૈયાજી જોશી સંઘના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.
હિન્દુઓએ ભારતનું ઉત્થાન અને પતન જોયું
ભારતને હિન્દુ સમુદાયથી અલગ ન કરી શકાય
કોઇને હિન્દુઓ માટે કામ કરતા ખચકાટ ન હોવો જોઇએ
ગોવામાં સંઘના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જે પણ આઇડિયા ઓફ ઇન્ડિયા માટે કામ કરવું છે, તેને હિન્દુઓના સશક્તિકરણ માટે કામ કરવું પડશે. પણજીમાં 'વિશ્વગુરૂ ભારત-સંઘના લેન્ડસ્કેપમાં' વિષય પર આયોજિત બે દિવસના કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં ભૈયાજી જોશીએ આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, પ્રાચીનકાળથી હિન્દુઓએ ભારતનું ઉત્થાન અને પતન જોયું છે. ભારતને હિન્દુ સમુદાયથી અલગ કરી ન શકાય. જો આજે ભારત જીવંત છે તો આનું કારણ માત્ર હિન્દુ જ છે. આ દેશના કેન્દ્રમાં હિન્દુ છે અને જેને પણ આ કામ કરવાનું છે, તેને હિન્દુ સમાજ મટે કામ કરવું પડશે.
હિન્દુઓ કોઇના વિરોધી કે કટ્ટરવાદી નહીં, હિન્દુઓને મળે પ્રાથમિકતા
સાથે જ દાવો કર્યો કે દુનિયાનું કહેવું છે કે ભારત 2020માં એક મહાશક્તિ બની જશે પરંતુ મારી એક બૌદ્ધિક સાથે વાત થઇ હતી. જેમણે કહ્યું હતું કે ભારતને 2020માં એક સુપરરાષ્ટ્ર બનવું જોઇએ. હિન્દુ કોઇના વિરોધી કે કટ્ટરવાદી નથી. કોઇએ હિન્દુઓ માટે કામ કરવામાં ખચકાટ ન હોવો જોઇએ. અમે સમગ્ર દુનિયા સામે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે હિન્દુઓના મજબૂત થવાથી વિનાશકારી ગતિવિધિઓ નહીં થાય. હિન્દુઓએ ક્યારેય કોઇ અન્ય દેશ પર આક્રમણ નથી કર્યું.દરેક યુદ્ધ આત્મરક્ષામાં લડવામાં આવ્યા હતા. દરેકને આત્મરક્ષાનો અધિકાર છે. ભારતની ફરજ છે કે તે દુનિયાને સમન્વયના માર્ગે ચાલતા શીખવાડે. ભારત અને હિન્દુઓ સિવાય કોઇ તેમ નહીં કરી શકે. જોકે પોતાના મંતવ્ય અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે એમના નિવેદનનો અર્થ એ નથી કે તેઓ કોઇ સમુદાયના વિરોધમાં છે. માત્ર એટલુ કહેવા માંગુ છું કે હિન્દુઓ માટે પ્રાથમિક ધોરણે કામ થવુ જોઇએ.