આ વખતે ભાઈ બીજ પર શુભ મુહૂર્ત કયા છે? જાણો તેના વિશે
ભાઈ બીજ પર આ શુભ મુહૂર્તમાં કરો ભાઈને તિલક
પૂજા વખતે થાળીમાં રાખો આ વસ્તુઓ
ભાઈની લાંબી ઉંમરની કરો કામના
દિવાળી બાદ ભાઈ બીજનો તહેવાર આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરી તેની લાંબી ઉંમરની કામના કરે છે. આ વખતે ભાઈ બીજ 6 નવેમ્બરે સેલિબ્રેટ કરવામાં આવશે. ભાઈ-બહેનના સ્નેહનું પ્રતીક આ પર્વ દિવાળીના બે દિવસ બાદ સેલિબ્રેટ કરવામાં આવે છે. તેને યમ દ્રિતીયા પણ કહેવામાં આવે છે. આ વખતે ભાઈ બીજ પર કયું મુહૂર્ત શુભ છે તે જાણો...
ભાઈ બીજના શુભ મુહૂર્ત
જ્યોતિષાચાર્ય ડો. અરવિંદ મિશ્રાએ જણાવ્યા અનુસાર ભાઈ બીજના તહેવારને શુભ મુહૂર્તમાં ઉજવવાથી લાભ થાય છે. જ્યારે રાહુ કાળમાં ભાઈને તિલક ન કરવો જોઈએ. ભાઈ બીજની દ્રિતિયા તિથિ 5 નવેમ્બરે રાત્રે 11.14 મિનિટથી હશે. જે 6 નવેમ્બરે સાંજે 7.44 મિનિટ સુધી રહેશે. આ દિવસે ભાઈઓને તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. બપોરે 1.10થી લઈને 3.21 સુધી તેનું મુહૂર્ત રહેશે. એટલે કે તિલક કરવાનું શુભ મુહૂર્ત 2.11 સુધી રહેશે.
બહેન થાળીમાં જરૂર રાખે આ વસ્તુઓ
ભાઈ બીજ પર થાળીથી આરતી કરતી વખતે બહેનની થાળીમાં સિંદૂર, ફૂલ, ચોખા, સોપારી, પાનના પત્તા, ચાંદીના સિક્કા, નારિયેળ, ફૂલ માળા, મિઠાઈ, કલાવા, ધરો અને કેળા જરૂર મુકો. આ દરેક વસ્તુઓ વગર ભાઈ બીજનો તહેવાર અધુરો માનવામાં આવે છે.