કોણ હલાવે લીંબડીને કોણ હલાવે પીપળી....ભાઈ બેની લાડકીને .. ભઈલો ઝુલાવે ડાળખી... આજનો તહેવાર એટલે ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો તહેવાર. ભાઈબીજના દિવસે બહેન ભાઈને લાખ લાખ આશિષ આપે છે અને ભાઈ પણ બહેન માટે બનતુ બધુ કરવાની ખાતરી આપે છે. યમ અને યમુનાની વાયકાથી ભાઈબીજ ઉજવવામાં આવે છે.
સૂર્યના સંતાન છે યમ અને યમુના
ભાઈબીજના શુભ મુહૂર્ત
ભાઈબીજની કથા
આજે કારતક સુદ બીજ છે જેને યમદ્વિતીયા અને ભાવનબીજ પણ કહે છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે. યમુનામાં ભાઈબીજને દિવસે નહાવાથી યમપુરીમાંથી મુક્તી મળે છે અને મોક્ષની પ્રાપ્તી થાય છે. કારતક સુદિ બીજને ભાઈબીજ કહેવાનું કારણ એવું છે કે, પ્રથમ યમુનાજીએ પોતાના ભાઇ યમરાજને પોતાને ત્યાં નોતરી જમાડ્યા હતા. તે દિવસે મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને ભેટ સોગાદ આપે છે.
જૈનોમાં પણ ભાઈબીજનો તહેવાર
આ દિવસ સંબંધે જૈનોની એવી માન્યતા છે કે, મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસો વદિ ની રાત્રે મોક્ષ પધાર્યા. તેમની બહેન સુદર્શનાએ મોટા ભાઈ નંદિવર્ધન રાજાને સમજાવી, આદર સહિત પોતાને ઘેર બોલાવી, ભોજન કરાવી શોક નિવાર્યો, જેથી ભાઈબીજ તરીકે પર્વ પ્રવર્ત્યુ.
ભાઈબીજના શુભ મુહૂર્ત
આજે વહેલી સવારે- 10:36 થી 11:56 સુધી અને સવારે- 11.56 થી બપોરે 1:16 સુધી તેમજ બપોરે- 02:55 થી સાંજે 04:10 સુધી શુભ મુહૂર્ત છે.
યમરાજની પૂજા માટેનો મંત્ર
ભાઈબીજ પર્વ ધર્મરાજ યમ અને તેમની બહેન યમુનાના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે યમ અને યમુનાની જેમાં જ ભાઈ-બહેન મળે છે. બહેન ભાઈનો આદર સત્કાર કરીને તિલક લગાવે છે. આ પ્રકારે ભાઈ-બહેનના પ્રેમથી યમ અને યમુના પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભાઈ અને બહેનને યમુના સ્નાન કરવું જોઈએ.
નહવાના પાણીમાં યમુનાજળ મેળવો તો પણ ચાલે
નહાવાના પાણીમાં યમુનાનું પાણી મેળવીને નહાવું અને યમુના દેવીને પ્રણામ કરો અને ત્યારબાદ ધર્મરાજ યમને પણ પ્રણામ કરો. યમ અને યમુનાને પ્રણામ કરીને આ મંત્ર બોલો-
धर्मराज नमस्तुभ्यं नमस्ते यमुनाग्रज।
पाहि मां किंकरैः सार्धं सूर्यपुत्र नमोऽस्तु ते।।
યમુની પૂજા માટેનો મંત્ર
यमस्वसर्नमस्तेऽसु यमुने लोकपूजिते।
वरदा भव मे नित्यं सूर्यपुत्रि नमोऽस्तु ते॥
સૂર્યના સંતાન છે યમ અને યમુના
આ ભાઈબીજના તહેવાર પાછળ એક વાર્તા છે જે મુજબ સૂર્યની પત્ની સંજ્ઞાના બે સંતાન હતા. તેમાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું.
કિરણો સહન ન થતા બની છાયા
સજ્ઞા પોતાના પતિ સૂર્યની ઉદ્દીપ્ત કિરણોને સહન ન કરી શકતા ઉત્તરી ધ્રુવમાં છાયા બનીને રહેવા લાગી. તેનાથી તાપ્તી નદી તથા શનિશ્વરનો જન્મ થયો. આ છાયાથી જ સદાય યુવાન રહેનાર અશ્વિની કુમારો પણ જન્મ થયો છે. જે દેવતાઓના વૈધ માનવામાં આવે છે.
યમે માતાથી નારાજ થઈ યમપુરી વસાવી
ઉત્તરી ધ્રુવમાં વસવાને લીધે માતાનો યમ તથા યમુનાની સાથે વ્યવહારમાં અંતર આવ્યું. તેનાથી વ્યથિત થઈ યમે પોતાની નગરી યમપુરી વસાવી.
યમુના ગૌલોકમાં ચાલી ગઈ
યમુના પોતાના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ આપતા જોઈ દુઃખી થતી હતી, એટલા માટે તે ગોલોકમાં ચાલી ગઈ. સમય પસાર થતો ગયો. ત્યારે ઘણા વર્ષો પછી અચાનક એક દિવસ યમે પોતાની બહેન યમુના યાદ આવી. યમે પોતાના દૂતોને યમુનાનો પતો લગાવવા મોકલ્યા. પરંતુ તે ક્યાંય ન મળી.
યમ બહેન યમુનાના સ્વાગતથી પ્રસન્ન થયો
યમ પોતે ગૌ લોકમાં ગયા જ્યાં યમુના સાથે ભેટ થઈ. આટલા દિવસો પછી યમુના પોતાના ભાઈ સાથે મળીને આનંદિત થઈ. યમુનાએ ભાઈનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. યમ પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવાનું કહ્યું.
યમનાએ વરદાન માંગ્યુ કે મારા જળમાં સ્નાન કરનાર યમપુરી ન જાય
યમુનાએ વરદાન માગ્યું કે, હે ભાઈ, હું ઈચ્છું છું કે જે પણ મારા જળમાં સ્નાન કરશે તે યમપુરી નહીં જાય. આ સાંભળી યમ ચિંતિત થઈ ગયા અને મનો-મન વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. ભાઈને ચિંતિત જોઈ બહેન બોલી ભાઈ, ચિંતા ન કરો, મને એવું વરદાન આપો કે જે લોકો આજના દિવસે બહેનને ત્યાં ભોજન કરે તથા મથૂરા નગરીમાં સ્થિત વિશ્રામઘાટ ઉપર સ્નાન કરે, તે યમપુરી નહીં જાય. યમરાજે આ વાતનો સ્વીકાર કર્યો અને વરદાન આપ્યું. બહેન-ભાઈના આ પર્વને હવે ભાઈ-બીજના રૂપમાં ઉજવવામાં આવે છે.