પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ હવે સરકાર બનાવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત પંજાબમાં આજે આપની સરકાર વિધિવત બનવા જઈ રહી છે. ભગવંત માને સીએમ તરીકેના શપથ લીધા છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં પંજાબમાં આપનો વિજય થયો
પંજાબના મુખ્યમંત્રી તરીકે ભગવંત માને લીધા શપથ
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા હાજર રહ્યા
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ હવે સરકાર બનાવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાંચમાંથી 4 રાજ્યોમાં ભાજપની જીત થઈ છે, તો વળી પંજાબમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા જીતીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. આપ નેતા ભગવંત માન પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમનો શપથગ્રહણ સોમવારે થઈ રહ્યો છે.
ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમને પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે પદ અને ગોપનિયતાના શથપ લેવડાવ્યા હતા. ભગત સિંહના ગામ ખટકરકલાંમાં આ શપથગ્રહણ સમારંભ થઈ રહ્યો છે. આ સમારંભમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આપના સેંકડો કાર્યકર્તાઓ હાજર રહ્યા છે.
Punjab | People begin arriving at the venue of CM-designate Bhagwant Mann's swearing-in ceremony in Khatkar Kalan.
Mann had invited the people of the state for the ceremony, urging men to wear 'basanti (yellow)' turbans and women to wear yellow 'dupatta (stole)' for it. pic.twitter.com/deSiaJkSdS
ભગવંત માન પંજાબના 17માં સીએમ તરીકે શપથ લીધા છે. તેઓ કાર્યકાળના હિસાબે પંજાબના 25માં સીએમ હશે.
જેમને વોટ નથી આપ્યા, તેમની પણ સરકાર- ભગવંત માન
શપથ લીધા બાદ ભગવંત માને કહ્યું કે, પંજાબના ખૂણે ખૂણેથી આવેલા ભગત સિંહના ગામમાં આવેલા લોકોનો દિલથી આભાર માનુ છું, દિલ્હીની કેબિનેટ અહીં બેઠી છે. સીએમ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ આવ્યા છે. અહીંથી પંજાબનો આભાર માનુ છું. અહીં પંજાબના ધારાસભ્યો બેઠા છે. જેમણે શાનદાર જીત મેળવી છે. અહીં હોવાનું ખાસ કારણ છે. આ ભગત સિંહનું ગામ છે. આમ આદમી પાર્ટી આપના સપના પુરા કરવા માટે કામ કરી રહી છે. આ ગામ મારા માટે નવું નથી. અહીં ઘણી વાર આવ્યો છું. આપનો જનતાએ સાથ આપ્યો. કેટલાય જન્મો લાગશે, જનતાનો આ પ્રેમ ઉતારવા માટે.
વધુમાં કહ્યું હતું કે, જે લોકોએ વોટ નથી આપ્યો, હું તેમનો પણ આભારી છું. આ એમની પણ સરકાર છે. અમને કોઈ અંહકાર નથી. જનતા ઈચ્છે તો, અર્શથી લઈને ફર્શ અને ફર્શથી લઈ ટોચ સુધી પહોંચાડી દે છે.
ભગવંત માનનો શપથગ્રહણ સમારંભ શરૂ
પંજાબમાં નવા મુખ્યમંત્રી તરીકે ભગવંત માન આજે શપથ લઈ રહ્યા છે. આ સમારંભ શહીદ ભગત સિંહના ગામ ખટકડકલામાં શરૂ થયો છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સબિત આપના સેંકડો કાર્યકર્તાઓ અને સમર્થકો ત્યાં હાજર છે.