પંજાબના મુખ્યમંત્રીએ પીએમ મોદી સાથે કરી રૂબરૂ મુલાકાત, આર્થિક સહાયની માગ પણ કરી, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ
પંજાબના સીએમ મળ્યા પીએમ મોદીને
ભગવંત માનને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
ભગવંત માને કેન્દ્ર સરકાર પાસે માંગી આર્થિક મદદ
પંજાબમાં આમ આદમીની પાર્ટી સત્તામાં આવી. 16 માર્ચે પંજાબના મુખ્યમંત્રી તરીકે ભગવંત માને શપથ લીધા બાદ પ્રથમવાર તેઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પંજાબના સીએમ ભગવંત માન આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પંજાબની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભગવંત માને કેન્દ્ર સરકાર પાસેથી એક લાખ કરોડ રૂપિયાના પેકેજની માંગ કરી છે.
કેન્દ્ર સરકારના સહયોગની જરુર-ભગવંત માન
આ સાથે ભગવંત માને પીએમ મોદીને કહ્યું કે તેમને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારના સહયોગની જરૂર છે.PMને મળ્યા બાદ ભગવંત માને તેમની સામે ઉઠાવેલા મુદ્દાઓ વિશે વાત કરી છે. ભગવંત માને કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે અમને કેન્દ્રના સમર્થનની જરૂર છે. પંજાબની આર્થિક સ્થિતિ ખરાબ છે. અમે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે 2 વર્ષ માટે પ્રતિ વર્ષ 50,000 કરોડ રૂપિયાના પેકેજની માંગણી કરી છે.
We need the support of the Center to maintain national security. Punjab's financial condition is in doldrums. We've demanded Rs 50,000 crores package per year for 2 years to improve state's financial situation: Punjab CM Bhagwant Mann on his meeting with PM Modi, earlier today pic.twitter.com/zCl1EpAk7R
16 માર્ચે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભગવંત માનની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 92 બેઠકો જીતી હતી. ભગવંત માન સંસદ ભવનમાં વડાપ્રધાન કાર્યાલયમાં તેમને મળ્યા હતા. ભગવંત માને પંજાબના લોકોને વચન આપ્યું છે કે તેઓ કડક પગલાં લઈને ભ્રષ્ટાચાર બંધ કરશે અને લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરશે
Announced lots of freebie & now asking money from central govt.
AAP govt won't do anything & will put all the blames on Modi ji...
ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના ગામ ખટકર કલાન ખાતે હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાને પણ માનને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સીએમ ભગવંત માન એક્શનમાં આવી ગયા હતા. તેઓએ બુધવારે એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો હતો જ્યાં લોકો લાંચ માંગતા અને અન્ય ગેરરીતિઓમાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓને લગતા વીડિયો શેર કરી શકે છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતીને સરકાર બનાવી હતી.
See the audacity! ₹50,000 crore package out of which ₹12,000 crore per year will be spent only on providing ₹1,000/month free scheme to Punjab women which AAP had promised. Funny part is, centre will sanction this ₹50,000 in all likelihood. Nobody gives a damn to taxpayers! pic.twitter.com/L3JaW5PizA
પંજાબના મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસે આર્થિક સહાયની માંગ કરતા સોશિયલ મીડિયામાં લોકો ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે ફ્રી સ્કીમની જાહેરાતો કરીને પૈસા પીએમ મોદી પાસેથી માંગવાના !!