પંજાબમાં CM ભગવંત માનની સરકારની પ્રથમ કેબિનેટની મીટિંગ ખતમ થઈ ગઈ છે. તેમાં પંજાબના યુવાનોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભગવંત માન સરકારની પ્રથમ બેઠકમાં એક વચન પુરુ કર્યું
કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
સીએમ ભગવંત માને લીધો આ નિર્ણય
પંજાબમાં CM ભગવંત માનની સરકારની પ્રથમ કેબિનેટની મીટિંગ ખતમ થઈ ગઈ છે. તેમાં પંજાબના યુવાનોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માન સરકારે પંજાબમાં 25 હજાર સરકારી નોકરીને મંજૂરી આપી દીધી છે.
The Cabinet has passed the proposal of providing a total of 25,000 govt jobs, including 10,000 vacancies in the Punjab Police department & 15,000 vacancies in other govt departments: Punjab CM Bhagwant Mann, after his first cabinet meeting
CM ભગવંત માને કહ્યું કે, ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે, પ્રથમ કેબિનેટ મીટિંગમાં લીલા રંગની પેન બેરોજગારી દૂર કરવા માટે ચાલશે. યુવા વિદેશો તરફ ભાગી રહ્યા છે. પ્રથમ મીટિંગમાં જ અમે અમારું વચન પુરુ કરતા 25 હજાર સરકારી નોકરીના એજન્ડાને કેબિનેટ પાસ કર્યું છે. જેમાંથી 10 હજાર પંજાબ પોલીસમાં અલગ અલગ પદ પર ભરવામાં આવશે. 15 હજાર બીજા વિભાગ, બોર્ડ અને નિગમમાં ભરતી થશે. તમામ નોકરીઓ ડિગ્રીના હિસાબે મળશે. તેમાં કોઈ પણ ભલામણ કે લાંચ સાંખી લેવામાં આવશે નહીં. એક મહિનામાં તેની જાહેરાત અને નોટિફિકેશન આવી જશે.
મંત્રીઓના વિભાગમાં વહેંચણીમાં સસ્પેન્સ
જો કે, પાર્ટીએ હજૂ સુધી નવા બનેલા મંત્રીઓના વિભાગ વહેંચ્યા નથી. સૂત્રોનું માનીએ તો, તેનો નિર્ણય પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલની સહમતી સાથે કરવમાં આવશે. જેને ફાઈનલ કર્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માનની સહમતી સાથે કરવામાં આવશે.
આ હતા આપના ચૂંટણીમાં વચનો
વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દરેક ઘરને 300 યુનિટ મફત વિજળી આપવાનું વચન આપ્યું હતું. ત્યાર બાદ 18 વર્ષથી મોટી ઉંમરની દરેક મહિલાને 1-1 હજાર રૂપિયા દર મહિને આપવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત સરકારી શાળા અને હોસ્પિટલોની દશા અને દિશા સુધારવાનું પણ વચન આપવામાં આવ્યું હતું. આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે તેને ગેરેન્ટી કહેતા ભરોસો અપાવ્યો હતો કે, કોઈ પણ સંજોગોમાં તેને પુરા કરવામાં આવશે, આ ઉપરાંત પંજાબમાંથી રેતી, ડ્રગ્સ અને કેબલ માફિયાને પણ ખતમ કરવાનું વચન આપવામાં આવ્યું હતું.