પંજાબની આમ આદમી પાર્ટી સરકારનું 3 મહિના બાદ પ્રથમ કેબિનેટ વિસ્તરણ થયું છે. સરકારમાં હવે મંત્રીઓની સંખ્યા 15 થઈ ગઈ છે.
સરકાર બન્યાના 3 મહિના બાદ માન સરકારનું વિસ્તરણ
આટલા ધારાસભ્યોને બનાવ્યા મંત્રી
દિગ્ગજોને લાગ્યો મોટો ઝટકો
પંજાબ મંત્રીમંડળનું આજે વિસ્તરણ થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ આમ આદમી પાર્ટીએ પોતાની નવી સરકાર બનાવી હતી. મંત્રીમંડળમાં 10 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે માન કેબિનેટનું પ્રથમ વિસ્તરણ થઈ રહ્યું છે.
Anmol Gagan Mann and Chetan Singh Jouramajra accorded oath by Governor Banwarilal Purohit as part of oath-taking ceremony of the newly-appointed Punjab cabinet, in the presence of CM Bhagwant Mann pic.twitter.com/BPbZfRhDRE
પંજાબની આમ આદમી પાર્ટી સરકારનું 3 મહિના બાદ પ્રથમ કેબિનેટ વિસ્તરણ થયું છે. તેમાં હિન્દુ ચહેરા તરીકે અમન અરોડા અને મહિલા મંત્રી તરીકે ડો. બલજીત કૌર બાદ અનમોલ ગગન માનને જગ્યા આપી છે. કેબિનેટમાં 3 સિખ મં6ી ડો. ઈંદરબીર નિઝ્ઝર, ચેતન સિંહ જૌડામાઝરા અને ફૌઝા સરારી શામેલ કરવામાં આવ્યા છે. તેમાં ફૌઝા સિંહ સરારી મહત્વના છે કારણ કે તે બોર્ડર એરિયા ફિરોઝપુરમાંથી આવે છે. તે રાય સિખ બિરાદરીથી સંબંધ ધરાવે છે અને 2 વર્ષ પહેલા જ પંજાબ પોલીસમાંથી ઈંસ્પેક્ટર તરીકે રિટાયર થયા છે.
Chandigarh | Punjab Governor Banwarilal Purohit accords oath to Fauja Singh Sarari, Inderbir Singh Nijjar, Aman Arora, as part of oath-taking ceremony of the newly-appointed Punjab cabinet, in the presence of CM Bhagwant Mann pic.twitter.com/NDFTB6N8ac
સૌથી પહેલા સુનામથી બે વારના ધારાસભ્ય અમન અરોડાએ શપથ લીધા હતા. ત્યાર બાદ અમૃતસરથી ધારાસભ્ય ડો. ઈંદરબીર નિઝ્ઝરે શપથ લીધા હતા. ત્યાર બાદ ફૌઝા સિંહ સરારી, ચેતન સિંહ જૌડામાઝરા અને અનમોલ ગગન માને શપથ લીધા હતા. માન સરકારમાં CM ભગવંત માન સહિતના મંત્રીઓની કુલ સંખ્યા 15 થઈ ગઈ છે. હાલમાં પણ 3 મંત્રી પદ ખાલી છે. જેમાં આગામી વિસ્તરણમાં ભરી દેવામાં આવશે.
દિગ્ગજોને લાગ્યો ઝટકો
કેબિનેટ વિસ્તરમમાં બીજી વાર ધારાસભ્ય બનેલા પ્રો.બલજિંદર કૌર, સર્વજિત માણુકે અને પ્રિંસિપલ બુધરામને ઝટકો લાગ્યો છે. તેમને મંત્રી બનાવામાં આવ્યા નથી. ઉપરાંત રાજપુરાથી ધારાસભ્ય નીના મિત્તલ પણ મંત્રી પદ માટે જોર લગાવી રહ્યા હતા, પણ વાત બની નહીં.