ગાંધીનગર / કોંગ્રેસ માટે રાહતના સમાચાર, ભગવાન બારડનું ધારાસભ્ય પદ યથાવત

માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલે સુત્રાપાડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્યને મોટી રાહત આપી હતી અને તેમના ધારાસભ્ય પદને યથાવત રાખવાનો નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદ યથાવત્ રાખ્યુ છે. આ સાથે જ કોંગ્રેસની બેઠકોનું સંખ્યાબળ 73 પર પહોચ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ