રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો સંકટ છે. જાણો શા માટે ભદ્રા કાળ અશુભ માનવામાં આવે છે અને તેમાં રાખડી કેમ ન બાંધવી જોઈએ.
11મી ઓગસ્ટે છે રક્ષાબંધન
આ વધતે છે ભદ્રા યોગ
અશુભ માનવામાં આવે છે આ કાળ
રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર, બહેન તેના ભાઈને તિલક લગાવીને આરતી કરે છે અને તેના કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી બાંધવી જોઈએ.
આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ છે. શાસ્ત્રોમાં ભાદ્રા કાળને અશુભ માનવામાં આવે છે. આમાં રાખડી બાંધવા કે કોઈ પણ શુભ કાર્યનું પરિણામ સારું નથી મળતું. આવો જાણીએ શા માટે ભદ્રા કાળને અશુભ માનવામાં આવે છે.
રક્ષાબંધન 2022 ભદ્રા કાળનો સમય
રક્ષાબંધનના દિવસે ભદ્રા પૂંછ - 11 ઓગસ્ટ 2022, સાંજે 05.17 થી 06.18 સુધી
રક્ષાબંધન માટે પ્રદોષ કાલનો મુહૂર્ત- 11મી ઓગસ્ટ 2022 રાત્રે 08.52 થી 09.14 સુધીનો છે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય.
ભદ્રા કાળને કેમ માનવામાં આવે છે અશુભ?
ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. શનિની જેમ તેનો સ્વભાવ પણ ક્રૂર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભલે ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ થાય, પરંતુ તેનાથી વિપરિત ભદ્રા કાળમાં શુભ કાર્ય વર્જિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા ત્રણેય લોકમાં રાશિ પ્રમાણે ભ્રમણ કરે છે. મૃત્યુ લોક (પૃથ્વી લોક)માં તેના હોવાથી શુભ કાર્યમાં વિધ્ન આવે છે.
રક્ષાબંધન સાથે ભદ્રાનો છે ખૂબ જ નજીકનો સંબંધ. પૈરાણિક કથા અનુસાર, લંકાપતિ રાજા રાવણની બહેન દ્વારા ભદ્ર સમયગાળા દરમિયાન રાખડી બાંધવામાં આવી હતી. જેના પછી રાવણને તેના અશુભ પરિણામોનો સામનો કરવો પડ્યો હતો. રાવણની લંકાનો નાશ થયો હતો.