ભારતીય માન્યતાઓમાં ઘણા રિવાજો અને પરંપરાઓ છે. જેમાં સંબંધોને જન્મ-જન્માંતરનો સાથ આપનારા માનવામાં આવ્યા છે. ત્યાં સુધી કે એક એવા કુંડ સાથે સામાન્યતા જોડાયેલી છે કે ત્યાં પ્રેમ-પ્રેમિકા કે પતિ-પત્ની સ્નાન કરી લે તો તેમને કોઇ અલગ નથી કરી શકતું.
આ માન્યતા મધ્યપ્રદેશ (શિવપુરી)ના ભદૈયા કુંડના વોટર ફોલની છે જ્યાં પ્રેમી જોડાને વરદાન મળે છે. આ કુંડની સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા પ્રમાણે લગ્ન પછી પતિ-પત્ની પણ આ પાણીથી નહાય તો તેમની વચ્ચે પ્રેમ અકબંધ રહે છે તેમની વચ્ચે આ જીવન વિવાદ થતો નથી.
આ માન્યતા લોકો વચ્ચે એટલી ઊંડી અને વિશ્વાસપાત્ર છે કે ઘણાં મેરિડ કપલ સહિત વૃદ્ઘ દંપત્તી પણ ભદૈયા કુંડમાં નહાવા માટે આવે છે. પોતાની વચ્ચે રહેલા અંતરને દૂર કરવાની કોશિશ કરે છે.
શિવપુરી સિંધિયા રાજ્યની ઉનાળાની રાજધાની હતી. તે શિવપુરીમાં ગરમીના સમયમાં અહીં રહેવા માટે આવતા હતા. ભદૈયા કુંડની એક દંતકથા પ્રમાણે બે પ્રેમી અહીં તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યુ હતુ કે આ કુંડમાં નહાનારા પ્રેમીનો પ્રેમ વધારે તાકાતવાળો બને ત્યારથી અહીં મોટી સંખ્યામાં કપલ સ્નાન કરવા માટે પહોંચે છે.
આ ઝરણાના ચમત્કારનું મુખ્ય કારણ છે ખડકો વચ્ચેથી પાણી આવે છે. જ્યારે વરસાદ આવે છે તે પાણી ખડકોથી સરકીને એક પાણીનો ધોધ સ્વરૂપ લે છે અને મંદિર પર પડે છે અને તે કુંડમાં એકત્રિત થઈ જાય છે. આ પાણીમાં ઘણાં ગુણકારી તત્વો પણ મળે છે. આ પાણી રોગોને દૂર કરે છે તેવી માન્યતા છે.
આ કુંડમાં સ્નાન કરવાનો સારો સમય ચોમાસાનો માનવામાં છે કારણ કે આ સમયમાં કુંડમાં પુષ્કણ પ્રમાણમાં પાણી હોય છે. જેના કારણે તેના નીચેના ભાગમાં ગૌમુખ બનેલુ છે ત્યાંથી પાણી નીકળે છે. કોઇને ખબર નથી કે આ ગૌમુખ પાણી આવવાનો શ્રોત શું છે સ્થાનિકોનું માનવું છે કે ગૌમુખમાંથી નીકળતું પાણી ઠડું અને સ્વાદિષ્ટ હોય છે.
આ પ્રવાસ સ્થળ 1960થી 1985 સુધી ડાકુઓનો અડ્ડો હતો અને તે દિવસોમાં અહીં લોકો એકલા આવતા ડરતા હતા. પણ હવે હોટલ અને અન્ય સુવિધાઓ હોવાનો ભય દૂર થઇ ગયો છે. અહીં આવનારા પ્રવાસીઓમાં સૌથી વધુ દંપત્તી હોય છે જોકે વડીલોની સંખ્યા પણ ઓછી નથી હોતી.
અહીં નવદંપત્તિ સુખી દાંપત્ય જીવનની શરુઆત કરવાની ઈચ્છાથી આવે છે જ્યારે વડીલો વૈવાહિક જીવનમાં આવનારી નાની-મોટી ખટપટને દૂર કરવાની આશા સાથે આવે છે.