ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે લલિત વસોયાનું નિવેદન,હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ, સંગઠનની જવાબદારી આપશે તો તે પણ કબૂલ છે
કોંગ્રેસ નેતા લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે વસોયાનું નિવેદન
હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉઃ વસોયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે..એક બાજુ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે જવાબદારી સંભાળી છે..ત્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્યસભાના સાંસદ સાગર રાયકા ભાજપમાં જોડાયા છે. લલિત વસોયા ભાજપમાં જોડાશે તેની અટકળો વિશે ખુદ વસોયાએ સ્પષ્ટતા કરી છે. અને કહ્યું છે કે હું આજે નહીં ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ, સાથે જ કોંગ્રેસ સાથે જ રહેવાની હામ ભરતા કહ્યું હતું કે હું ક્યારેય કોંગ્રેસનો ખેસ નહીં ઉતારુ, પાર્ટીએ અમને ધારાસભ્યો બનાવ્યા તે મોટી વાત છે. મરીશ ત્યાં સુધી કોંગ્રસનો ખેસ ન છોડવાનું કહ્યું હતું. આમ ભાજપમાં જવાની વાત પાયા વિહોણી ગણાવી રાજકારણમાં આવેલો ઊભરો શાંત પાડયો હતો.
લલીત વસોયા ભાજપ જોડાશે તેવી વાત ક્યારે વહેતી થઈ
ગાંધીનગરમાં જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ પદ માટે ચૂંટવા માટે કોંગ્રેસ વિધાયક દળની બેઠક મળી હતી તે વખતે ખાસ કરીને લલિત વસોયા, પ્રતાપ દૂધાત, વિમલ ચુડાસમા,વીરજી ઠુમ્મર ગેરહાજર રહેતા આ વાત ઉડીને આંખે વળગી હતી. પરિણામે, વાત વહેતી થવા પામી છે. જો કે અમરીશ ડેર સમયસર નહોતા પહોચ્યા પરિણામે, તેમના પર અટકળ લાગવી વધુ વાજબી હતી. જો કે, તેઓ બેઠક શરુ થયાના અડધા કલાકથી થોડા વધુ સમયમાં પહોચી જતા, તેમના નામ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું.
કોણ છે લલીત વસોયા?
રાજકોટની ધોરાજી બેઠકથી ધારાસભ્ય
2017ની ચૂંટણીમાં પ્રથમ વખત બન્યા ધારાસભ્ય
પાટીદાર આંદોલન વખતે PAASના સમર્થનમાં હતા
હાર્દિક પટેલ જૂથના કહેવાય છે લલીત વસોયા
2019ની ચૂંટણીમાં પોરબંદરથી સાંસદની ચૂંટણી લડ્યા હતા
ભાજપના રમેશ ધડૂક સામે થઈ હતી વસોયાની હાર
ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સામે હંમેશા માંડે છે મોરચો
અંબરીશ ડેરની મુલાકાતો બાદ રાજકારણ ગરમાયું હતું
અંબરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો જાણીતો અને દિગ્ગજ ચહેરો જે ગત નવેમ્બર મહિનામા ભાજપના મોટા નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું હતું. મંત્રી મુકેશ પટેલ સાથેની મુલાકાત બાદ અંબરીશ ડેરે ટ્વીટ કર્યું હતું અને ફક્ત શુભેચ્છા મુલાકાત હોવાનું રટણ પણ કર્યું હતું.જે બાદ અમરેલીના બાબરીયા ધાર ગામે સમૂહ લગ્નમાં સી આર પાટીલ સાથે મંચ શેર કર્યો હતો. પાટીલના આડકતરા આમંત્રણ બાદ અંબરીશ ડેરે સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળમાં ભાજપ યુવા મોરચામાં મે કામ કર્યું છે અને જાહેર જીવનમાં બધાને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, એના જ સંદર્ભે સી.આર.પાટીલે કહ્યું હોઇ શકે,પણ એ વાત તો નક્કી છે કે મજબૂત નેતા પાર્ટીમાં આવે તેવું દરેક પાર્ટી ઇચ્છે છે જેથી સી.આર.પાટીલ પોતાની જવાબદારીને ધ્યાને રાખી બોલ્યા હોઇ શકે.
કોણ છે અબરિશ ડેર?
અમરેલીની રાજુલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય
આહિર સમાજમાંથી આવે છે અબરિશ ડેર
2017માં રાજુલા બેઠક પરથી કોળીનેતા હીરા સોલંકીને હરાવ્યા હતા
ખેડૂતોના અને અન્ય સ્થાનિક પ્રશ્નો લઈને સરકારને હંમેશા ઘેરે છે
ડેર અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ મતક્ષેત્રમાં કરતા રહે છે