અયોધ્યા રામ મંદિર માટેની જમીનની ખરીદમાં કથિત કૌભાંડના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભગવાન રામને નામે કરાતી દગાબાજી અન્યાયી છે.
અયોધ્યા રામ મંદિર માટેની જમીનની ખરીદમાં કથિત કૌભાંડનો મામલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર કર્યો પ્રહાર
ખાનગીકરણથી જનતાને કોઈ લાભ નહીં થાય. ન્યાયથી થશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ભગવાન રામ ખુદ ન્યાય, સત્ય, વિશ્વાસનું પ્રતિક છે. તેમને નામે થતી દગાબાજી કે કૌભાંડ સંપૂર્ણપણે અન્યાયી છે.
श्रीराम स्वयं न्याय हैं, सत्य हैं, धर्म हैं-
उनके नाम पर धोखा अधर्म है!#राम_मंदिर_घोटाला
કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને ઘોટાળો કરવામાં આવી રહ્યો છે. સિંહે લખનૈઉમાં પ્રેસ કોન્ફરન્સ વખતે આરોપ લગાવ્યો કે ટ્ર્સટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સદસ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
આ કારણે અયોધ્યામાં વધ્યા ભાવ
તેમણે આરોપ લગાવ્યો છે કે આ સીધો ફ્રોડનો મામલો છે અને સરકાર તેની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે તપાસ કરાવો. જોકે રાયે આરોપને ફગાવી નાખ્યા છે. મોડી રાતે તેમના તરફથી પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી. પ્રેસ રિલીઝમાં રામ જન્મભુમિ ત્રીથ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પતના હવાસે કહાવામાં આવ્યું છે કે 9 નવેમ્બર, 2019એ શ્રી રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટનો આદેશ જાણ્યા બાદ અયોધ્યામાં જમીન ખરીદવા માટે દેશને ઘણા લોકો આવવા લાગ્યા છે. ત્યાં જ ઉત્તર પ્રદેશ સરકાર પોતે અયોધ્યાના વિકાસ માટે મોટી માત્રામાં જમીન ખરીદી રહી છે. જેના કારણે અયોધ્યામાં જમીનોના ભાવ વધી ગયા છે.