અમૃતસરની જમા મસ્જિદમાં લોકો નમાજ અદા કરતા નજરે પડ્યા
નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
આજે દેશમાં ઈદ- ઉલ- ફિત્રનું સેલિબ્રેશન થઈ રહ્યુ છે. દેશમાં જ નહીં બલ્કે દુનિયામાં અલગ અલગ ભાગોમાં ઈદની શુભેચ્છા અપાઈ રહી છે. ત્યારે ઈદના પાવન પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.
તમામ દેશવાસીઓને ઈદ મુબારક- રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યુ કે તમામ દેશવાસીઓને ઈદ મુબારક. તેમણે આગળ લખ્યું કે આ તહેવાર, આપસી ભાઈચારા અને હળીમળીને રહેવાની ભાવનાને મજબૂત કરવા અને સ્વયંને માનવતાની સેવા કરવા માટે પોતાને સમર્પિત કરવાનો અવસર છે. આવો આપણે કોરોનાને પહોંચી વળવા માટે તમામ નિયમોનું પાલન કરવાનો અને સમાજ તથા દેશના હિત માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.
Best wishes on the auspicious occasion of Eid-ul-Fitr. Praying for everyone’s good health and well-being. Powered by our collective efforts, may we overcome the global pandemic and work towards furthering human welfare.
પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે ઈદ- ઉલ- ફિત્રના આ પાવન પ્રસંગ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા. આ તહેવારના પ્રસંગે તમામ નાગરિકોને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ. પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં કહ્યુ કે આપણા સામૂહિક પ્રયાસથી આપણે લોકો આ વૈશ્વિક મહામારીથી જીતી શકીએ છીએ અને માનવ કલ્યાણ આગળ કામ કરી શકે છે. ઈદ મુબારક.
અમૃતસરની જમા મસ્જિદમાં લોકો નમાજ અદા કરતા નજરે પડ્યા
આ ઉપરાંત પંજાબના અમૃતસરની જામા મસ્જિદથી અનેક તસવીરો સામે આવી. જ્યાં લોકો કોરોનાની વચ્ચે ભારે સંખ્યામાં ભેગા થઈ નમાજ અદા કરતા નજરે પડ્યા છે. જો કે દિલ્હીની પ્રસિદ્ધ જામા મસ્જિદ બહાર પોલીસ દળ તૈનાત છે અને તેમણે લોકોને અપીલ કરી છે કે તે આ વખતે પોતાના ઘરે ઈદની નમાજ અદા કરે.