હળદર તથા ગોળમાં ઘણા ઔષધિય ગુણ રહેલા છે. જો આ બંનેને દૂધની સાથે મિક્સ કરીને પીવામાં આવે તો ઘણા મોટા ફાયદા શરીરને મળી શકે છે.
હળદર તથા ગોળમાં ઘણા ઔષધિય ગુણ છે
હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો
હળદરવાળું દૂધ પીવાથી શરીરને થાય છે ફાયદો
હળદરવાળું દૂધ અકસીર દવા
તમારા ઘરમાં દાદી-નાનીના મોંઢેથી વારંવાર સાંભળ્યું હશે કે હળદરવાળુ દૂધ દરેક બિમારીની દવા છે. ઔષધિય ગુણોથી ભરપૂર આ દવા ખરેખર ફાયદાકારક છે. હળદરવાળા દૂધમાં અનેક બિમારીઓ સામે લડવાની તાકાત હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જો તેમાં ગોળ મિલાવી દેવામાં આવે તો તેનાથી મળતા ફાયદા ડબલ થાય છે. આ દૂધ શરીરની ઈમ્યુનિટી વધારીને અનેક બિમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આવો જાણીએ કે હળદરવાળુ દૂધ પીવાથી કયા ફાયદા થાય છે.
દુ:ખાવો દૂર કરે
હળદરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે નબળા હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જેનાથી સ્નાયુમાં દુ:ખાવાની પરેશાની દૂર થાય છે.
શરીર મજબૂત બનાવો
જો તમારું શરીર નબળુ છે તો હળદરવાળું દૂધ પીવુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. હળદર, ગોળ અને દૂધમાં રહેલા પોષક તત્વ શરીરને મજબૂત બનાવવાનુ કામ કરે છે. આ દૂધન સેવન જો દરરોજ કરીએ તો બધી નબળાઈ દૂર થઇ જશે.
પાચનમાં ફાયદાકારક
હળદર અને ગોળવાળુ દૂધ પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. ગોળમાં રહેલા પોષક તત્વ પાચનની સમસ્યાને દૂર કરવાનુ કામ કરે છે. દૂધમાં આ વસ્તુઓને મિલાવીને પીવાથી અપચો અને કબજીયાત થતી નથી. ગોળ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. ગોળ અને હળદરવાળુ દૂધ પીવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે.