દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનુ ગુડલક હંમેશા કામ કરતુ રહે અને તેમને ક્યારેય જીવનમાં પરેશાનીનો સામનો ન કરવો પડે. જો તમે પણ આવુ કઈક કરવા માંગો છો તો આ સનાતની ઉપાય તમારા માટે અસરકારક સાબિત થઇ શકે છે.
સુખ-સમૃદ્ધી માટે કરો આ ખાસ ઉપાય
ક્યારેય જીવનમાં પરેશાનીનો સામનો નહીં કરવો પડે
આ ઉપાય કરવાથી તમારું સૂતેલુ ભાગ્ય જાગશે
મહેનતનુ પૂરેપુરું ફળ ના મળે તો અપનાવો આ ઉપાય
માણસના જીવનમાં ક્યારેક-ક્યારેક એવો સમય પણ આવે છે, જ્યારે મહેનત કરી હોવા છતા તેમને ઈચ્છિત સફળતા મળતી નથી. ઑફિસમાં કરવામાં આવતી નોકરી હોય અથવા પછી પોતાનો વ્યવસાય, મહેનતનુ પૂરેપૂરુ ફળ મળતુ નથી. તમે જે પણ કામમાં હાથ નાખો છો તેમાં નિષ્ફળતા મળે છે. પ્રયાસ કર્યા બાદ મળતી અસફળતા જ્યારે તમારા બેડલકમાં બદલાવા લાગે તો તમારે એક વખત આ ઉપાયોને અવશ્ય અપનાવવા જોઈએ.
સવારે જલ્દી ઉઠીને કરો આ કામ
જો તમે ઈચ્છો છો કે તમારા જીવનના મનોરથ પૂરા થાય અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય તો તમારે દરરોજ સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન ધ્યાન કરવુ જોઈએ. ત્યારબાદ ઉગતા સૂર્યને જળ ચઢાવવુ જોઈએ.
જપ-તપથી વરસશે ઈશ્વરનો આશીર્વાદ
હિન્દુ ધર્મમાં મંત્રોના જાપનુ ઘણુ વધારે મહત્વ હોય છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરે છે તેમના જીવનમાં હંમેશા સકારાત્મકતા રહે છે. આ સાથે તેમને દરેક ક્ષેત્રમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત થાય છે. હિન્દુ માન્યતા મુજબ દરરોજ ઈષ્ટ દેવનો મંત્રજાપ વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધી અપાવે છે.
આ પવિત્ર છોડની પૂજાથી થશે મનોકામના પૂર્ણ
ધાર્મિક માન્યતાઓ મુજબ તુલસી પૂજા કરવી અત્યંત શુભ મનાય છે. એવામાં દરરોજ સવારે ઉઠીને સ્નાન કરો. પછી તુલસીના છોડમાં જળ અર્પણ કરો. માન્યતા છે કે તુલસી પૂજાથી દુર્ભાગ્ય દૂર થાય છે. આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે સૂર્યાસ્ત બાદ તુલસીની પૂજા ન કરવી જોઈએ અને તુલસીના પત્તા પણ ન તોડવા જોઈએ.
ગીતા પાઠથી ભાગ્ય જાગશે
હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ, સાચા મનથી ગીતા અથવા પછી શ્રી રામચરિત માનસનો પાઠ કરવાથી માણસ પર શ્રી હરિ વિષ્ણુની કૃપા થાય છે. માન્યતા છે કે આ બંને ધાર્મિક ગ્રંથનો પાઠ કરવાથી માણસના બધા પાપ અને દોષ દૂર થાય છે. માન્યતા છે કે ગીતા અને રામચરિતમાનસના પાઠ કરવાથી શરીર અને મન બંને પવિત્ર થાય છે.