સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સ્વચ્છતા ન રાખવામાં આવે તો મોંઢામાંથી દુર્ગંધ આવે છે. તેને દૂર કરવાના બેસ્ટ ઉપાય જાણો.
શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો કરો સરળ ઉપાય
ઘણાં કારણોથી મોંઢામાંથી આવે છે દુર્ગંધ
બપોરે આ ઉપાય કરશો તો મોઢામાંથી દુર્ગંધ નહીં આવે
આ કારણોથી મોઢામાંથી આવે છે વાસ
ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખવું. જેમ કે મોઢું, દાંત,પેઢાં, જીભી બરાબર સફાઈ કરવી જરૂરી છે. ઓછું પ્રવાહી લેવાને કારણે થતી ડ્રાય માઉથની સમસ્યાને કારણે પણ મોઢામાંથી વાસ આવે છે. જે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે શ્વસનને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ જેમ કે શરદીથી લઈને અસ્થમા સુધી કોઈ પણ પ્રકારની તકલીફમાં તેના મોઢામાંથી વાસ આવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને પાચનને લગતા પ્રોબ્લેમ્સ હોય જેમ કે અપચો હોય કે કબજિયાત હોય ત્યારે તેના મોઢામાંથી વાસ આવી શકે છે. ડુંગળી, લસણ, કોફી વધુ લેતા હોય, તમાકુ ચાવતા હોય અને સ્મોકિંગની આદત હોય એવી વ્યક્તિઓના મોઢામાંથી પણ વાસ આવતી હોય છે.
શ્વાસની દુર્ગંધ દૂર કરવાની ટિપ્સ
પુષ્કળ પાણી પીવું, દર અડધો-પોણો કલાકે બે-ચાર ઘૂંટડા પીવા. સાદા પાણીમાં લીંબુ નિચોવી દેવું. આ પાણી થોડીક વાર મોંમાં ભરી રાખવું ને પછી ગળી જવું.
તાજી ગ્રીન પાર્સલીનાં પાન ચાવો અને અલોવેરા જેલથી પેઢાં પર મસાજ કરો. આ બન્ને વસ્તુઓ કુદરતી એન્ટીબાયોટિકનું કામ કરે છે. એનાથી મોંનાં ટોક્સિન્સ ખતમ થાય છે અને ચાવવાથી વધુ માત્રામાં લાળ બને છે.
સફરજન, સેલરી, કાકડી, ગાજર જેવાં વેજિટેબલ્સ કાચાં ખાવાથી દાંત કુદરતી રીતે જ સાફ થાય છે. દાંતની વચ્ચે જો પ્લાક કે ખોરાકના કણો ભરાયેલા હોય તો સાફ થાય છે.
કોફી પીતા હો તો એ છોડીને ચા પીવી. કોફીને કારણે જીભ પર પાતળી પરત જામી જાય છે.
બપોરના સમયે શુગર-ફ્રી ચ્યૂઇંગ ગમ ચાવવી ખાવો. વરિયાળી, તજ કે લવિંગ મોંમાં ચૂસતા રહેવાથી પણ દુર્ગંધ દૂર થાય છે.
ડાયટમાં કાળજી રાખવી જરૂરી છે. ડુંગળી, લસણ, માંસ અને માછલી ન લેવાં. જમ્યા પછી દાંત સાફ કરવા માટે ગાજર કે સફરજનની ચીરીઓ ખાઈ લેવી જેથી ખોરાકના કણો દાંતમાં ભરાઈ ન રહે.
પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ એલચીને છોલીને તેના દાણા મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.