અત્યારે મહામારીના આ સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની ગયા છે. એવામાં જો તમે સીઝનલ બીમારીઓ, ગંભીર રોગો કે ઈન્ફેક્શન અને વાયરસથી બચવા માંગો છો તો તમારા જીવનમાં આ 5 નિયમોનું પાલન કરો.
મહામારીના આ સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની ગયા છે
નિરોગી રહેવું હોય તો 5 નિયમોનું પાલન કરો
જીવનભર બીમારીઓથી બચીને રહેલાં કરો આ કામ
નિયમબદ્ધ થઈને જીવન જીવવાથી રોગો થવાનો ખતરો ઘટી જાય છે. આ સાથે જ કેટલાક નિયમો એવા હોય છે જેને રોજ અપનાવી લેવાથી બીમારીઓ નથી થતી અને શરીર નિરોગી રહે છે. તો આજે અમે તમને એવા જ 5 ખાસ નિયમો વિશે જણાવી રહ્યાં છે.
8-9 કલાકની ઉંઘ
એક વયસ્ક વ્યક્તિએ રોજ લગભગ આઠથી નવ કલાકની ઉંઘ લેવી જોઇએ. ઉંઘથી જ શરીરમાં થયેલી ટુટ-ફુટ રિપેર થાય છે. ઓછી ઉઁઘથી તણાવ અને ચિડચિડિયાપણુ વધે છે. તેથી ઉંઘ સાથે કોઇ સમજુતી ન કરો અને રોજ પર્યાપ્ત ઉંઘ લો.
નિયમિત વ્યાયામ
આજની લાઈફસ્ટાઈલને કારણે મોટાભાગના લોકોની દિનચર્યા બગડી ગઈ છે અને તેના કારણે વજન વધવાનો ખતરો રહે છે. રોજ ઓછામા ઓછી 45 મિનિટ કસરત કરો. વ્યાયામ કરનારા લોકો પર વાયરસનો ખતરો 50 ટકા ઓછો રહે છે. ઇમ્યુન સિસ્ટમ વધવાથી વાયરસને નષ્ટ કરનારા બ્લડ સેલ્સ પણ વધે છે.
પ્રોટીન ડાયેટ વધુ લો
પ્રોટીન રિચ ડાયેટમાં એમિનો એસિડ વધુ મળે છે. તે ટી સેલ્સની સંખ્યાને વધારે છે. ટી સેલ્સ આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારનારા સેલ્સને એનર્જી આપે છે. તેથી જમવામાં દલિયા, પનીર, દાળ, મશરુમ, સાબુત અનાજ, સ્પ્રાઉટ્સ વધુ લો. લિક્વીડ ડાયેટ વધુ લેવાથી ઇમ્યુનિટિ પણ વધે છે.
યોગ-ધ્યાન
નિયમિત યોગ અને ધ્યાન કરવાથી દિમાગ શાંત રહે છે. તેનાથી હેપ્પી હોર્મોન્સ નીકળે છે અને સ્ટ્રેસ હોર્મોન્સ નષ્ટ થાય છે. શરીરની ઇમ્યુનિટી વધે છે. ઇમ્યુન સેલ્સ જ વાયરસને મારવાનુ કામ કરે છે. તણાવ ન હોવાથી શરીરમાં ફ્રી રેડિકલ્સ વધતા નથી. તે શરીરના સંપુર્ણ વિકાસ માટે જરુરી છે.
તડકામાં થોડીવાર બેસો
ઘરની છત કે બાલ્કનીમાં તડકામાં બેસો. સતત ઘરમાં રહેવાથી વિટામીન ડીની કમી થઇ શકે છે. તેથી તડકામાં બેસો. તે એનર્જી આપવાની સાથે ઘણા રોગોના સંક્રમણથી બચાવે છે. ઇંફેક્શન સામે ફાઇટ કરનાર ટી સેલ્સને એનર્જી વિટામીન ડીથી જ મળે છે.