અત્યારે કોરોનાને કારણે જે પ્રકારનું ડરામણું અને સ્ટ્રેસફુલ વાતાવરણ આપણી આસપાસ છે, તેના કારણે ઘણી નાની નાની તકલીફો વધવા લાગી છે. જેમાંથી એક છે પાચનની ગરબડ. તો આજે જાણી લો તેના માટે બેસ્ટ ઉપચાર.
ગેસના દર્દીઓ માટે બેસ્ટ ટિપ્સ
અમુક બાબતોનું ધ્યાન રાખી પેટને રાખો દુરસ્ત
ગેસને કારણે થતી સમસ્યાઓ પણ મટી જશે
ખાનપાન પર ધ્યાન ન આપવાથી ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે. ચાલો જાણી લો તેના માટે બેસ્ટ ઉપાય.
આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો.
તીખો, મસાલેદાર ખોરાક, ઘી, ખાંડ વાલ, વટાણા, ચણા, કોબી, ફૂલાવર, બટાકા, અડદ, ઇંડા અને મેંદાના લોટની વાનગીઓ ન લેવી.
ગેસના દર્દીએ સાદો, સુપાચ્ય અને ઓછી માત્રામાં જ આહાર લેવો, ગરમ-ગરમ જ જમવું. વાસી ખોરાક ના લેવો.
તમાકુ, બીડી, પાન, સિગારેટની આદત હોય તો છોડી દેવી. ખૂબ જ ગુસ્સમાં, અંશાતિથી ના જમતા. શાંતિથી ધીમે-ધીમે આહારનો સ્વાદ માણતા જમવું. જમતા પહેલાં અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું.
જમીને તરત સુઈ ન જતાં થોડું ચાલવું અને દિવસે સૂવું નહીં.
ગેસના દર્દીને સવારે નરણાં કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે. ગેસનાં દર્દીએ જમ્યાં પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યાં પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય.
કેટલાંક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે, પરંતુ આંતરડા નબળાં હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈ ગેસ ઉત્પન્ન થાય છે. એટલે જ પચે તેવું અને પચે તેટલું જ ખાવું
ગેસના દર્દીએ કબજિયાત રહેવા દેવી નહિં. કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ, અવિપત્તિકરચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચનચૂર્ણ કોઈમાંથી એક આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ લેવું.