સ્કિન સંબંધી સમસ્યાઓથી બચવા સ્કિનને સાફ રાખવી ખૂબ જ જરૂરી છે. જેના માટે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. ચાલો જાણીએ.
અત્યારે નાની ઉંમરમાં જ સ્કિન ખરાબ થવા લાગે છે
નેચરલ વસ્તુઓથી સ્કિનને રાખો હેલ્ધી
આ ઉપાય બધાં માટે અસરકારક છે
પ્રદૂષણ, બદલાતાં મોસમની અસર, રોજ તડકામાં બહાર નીકળવા જેવા ઘણાં કારણોથી સ્કિન પર ડર્ટ (મેલ) જમા થવા લાગે છે. જેથી સ્કિનની ડીપ ક્લિઝિંગ જરૂરી છે. તેનાથી સ્કિનના ડેડ સેલ્સ દૂર થઈ જાય છે અને સ્કિન સાફ અને ગ્લોઈંગ રહે છે.
કેળા
કેળામાંથી કેલ્શિયમ, વિટામિન ડી તથા વિટામિન બી અને વિટામિન બી 12 મળે છે. જે સ્કિન માટે અતિ આવશ્યક અને લાભદાયક હોય છે. કેળાનો ઉપયોગ ત્વચાની ખરાબી દૂર કરવા માટે અકસીર છે. અડધા કેળાની પેસ્ટ બનાવી લો. તેમાં 4-5 ટીપાં લીંબુનો રસ ભેળવીને રોજ ચહેરા અને ગરદન પર લગાવવાથી ખીલ સહિતના ડાઘ દૂર થશે. કેળા ઉપરાંત કેળાની છાલ પણ ચહેરાને ચમકતો રાખવામાં મદદરૂપ થાય છે. કેળાની છાલનો અંદરનો ભાગ 15-20 મિનિટ હળવે હાથે ચહેરા તથા ગરદન ઉપર ઘસવાથી સ્કિન ઉપરના વણજોઈતા ડાઘ દૂર થાય છે.
હળદર
હળદરમાં પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ અને કર્ક્યૂમિન હોય છે તેથી તે ત્વચામાંથી મેલ દૂર કરીને કાર્બનને બહાર કાઢે છે અને ટેનિંગને દૂર કરે છે. હળદરનો ઉપયોગ કરવા માટે એક ચમચી હળદર, એક ચમચી મધ અને એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 30 મિનિટ સુધી પેસ્ટને સૂકવા દો પછી ધોઈને સાફ કરી લો. તમારો ચેહરો ચોખ્ખો અને ગ્લોઈંગ બનવા લાગશે, સપ્તાહમાં 2 વાર આ ઉપાય કરો.
આમળા
આમળામાં ઘણાં બધાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલાં છે. આમળા સ્કિન માટે બહુ જ ફાયદાકારકી છે. તેમાં નારંગીથી 20 ગણું વધુ વિટામિન સી હોય છે. એવું કહેવાય છે કે રોજ બે ચમચી આમળાનો જ્યૂસ પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે અને આયુષ્ય પણ વધે છે. આમળાનો જ્યૂસ કાઢ્યા પછી આમળાના છોતરાં નીકળે તે ફેંકી ન દો. તેમાં થોડું દહીં મિક્સ કરીને ચહેરા અને ગરદન પર હળવે હાથે 15-20 મિનિટ મસાજ કરો. તેનાથી ડેડ સ્કિન નીકળી જશે અને ત્વચા પર નિખાર આવશે, સાથે જ ત્વચા સાફ પણ થશે.
પપૈયું
પપૈયામાં વિટામિન એ, સી અને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે ત્વચાને રિજૂવિનેટ કરવામાં મદદરૂપ છે. પપૈયાથી ત્વચાના નિખાર આવે છે. પાકેલા પપૈયાને છૂંદીને તેની પેસ્ટ બનાવો. એમાં એક ચમચી લીંબુનો રસ મિકસ કરો. તેને ગળા અને ચહેરા પર લગાવો. 20 મિનિટ સુધી લગાડીને રહેવા દો અને પછી ધોઈ નાંખો. આ સ્કિનને પ્રાકૃતિક રીતે બ્લિચ કરવાની સૌથી સુરક્ષિત પદ્ધતિ છે.