વધતી ઉંમરમાં કરચલીઓની સમસ્યા થાય તે સ્વાભાવિક છે પરંતુ આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોને કારણે નાની ઉંમરમાં પણ લોકોને ચહેરા પર કચરલીઓ થવા લાગે છે. પ્રદૂષણ, ખરાબ ડાયટ અને સ્કિનની કેર ન કરવાને કારણે આવું થાય છે. જેથી આજે અમે તમને એવો ગજબનો નુસખો જણાવીશું, જેને નિયમિત કરી લેવાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે અને સ્કિન વર્ષોવર્ષ ટાઈટ રહેશે.
આ વસ્તુઓ જોઈશે
1 ચમચી મુલ્તાની માટી
1 ચમચી ગુલાબજળ
અડધી ચમચી મધ
પેક બનાવવાની રીત
સૌથી પહેલાં એક બાઉલ લઈને તેમાં મુલ્તાની માટી, ગુલાબજળ અને મધ મિક્સ કરી દો. પછી આ પેસ્ટ વધુ પાતળી થઈ જાય તો તેમાં થોડી મુલ્તાની માટી ઉમેરી દો. ત્યારબાદ આ પેસ્ટને 10-15 મિનિટ માટે એક બાજુ મૂકી દો.
ઉપયોગ કરવાની રીત
સૌથી પહેલાં ચહેરો ફેસવોશથી વોશ કરી લો. પછી આ પેસ્ટ ચહેરા પર લગાવીને 2-3 મિનિટ હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ પેસ્ટ 30 મિનિટ લગાવી રાખો. જો પેક અડધાં કલાક પછી ડ્રાય થઈ જાય તો તેના પર ગુલાબજળ લગાવો. પછી પાણીથી પેક ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 2-3વાર કરો. જે લોકો ચહેરા પર કરચલીઓ વધી ગઈ હોય તેઓ રોજ પણ આ ઉપાય કરી શકે છે.
સ્કિનને હેલ્ધી અને કરચલી મુક્ત રાખવા આ ટિપ્સ ધ્યાન રાખો