કોઈપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી રહે છે પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા પરિણામ આપી શકે છે અને આ પ્રકારના રોગોને મૂળથી મટાડી પણ શકાય છે. જેમાંથી એક છે સૂકી ઉધરસની પ્રોબ્લેમ.
થાય છે આવી તકલીફ
આ પ્રકારની ખાંસીમાં દર્દીને (ખાંસી ખાંસીને) છાતી, માથું, પીઠ, પાંસળીઓ, છાતીનો દુખાવો તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ ફાટીને બેસી જાય છે, ગળું અને મોં સૂકાય છે. વારંવાર રૂંવાડા ઉભા થઈ જાય છે. ક્યારેક અંધારા આવે છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને આથી દર્દી અત્યંત થાકી જાય છે.
7-8 તુલસીના પાન, કટકો આદુ અને 4-5 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે. ગરમ પાણી પીતા રહો. એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે.
મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે. આ સાથે જ તુલસીના પાન, સિંધાલૂણ અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે.
1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે. આ સાથે જ તમે રોજ સ્ટીમ પણ લઈ શકો છો. અત્યારે કોરોનાકાળમાં સ્ટીમ ખૂબ જ જરૂરી છે. સ્ટીમ લેવાથી ફેફસાં સ્વસ્થ રહે છે અને શરદી-ખાંસી અને કફની સમસ્યા થતી નથી.
બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.
પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો.
રોજ મીઠાવાળા પાણીના કોગળા પણ ખૂબ જ કારગર ઉપાય છે. તેનાથી પણ ખાંસીમાં ખૂબ જ રાહત મળે છએ.