મહિલાઓને સ્વાસ્થ્યને લગતી ઘણી નાની નાની તકલીફો હેરાન કરતી હોય છે. જેમાં સુવાવડ દરમિયાન થતી સમસ્યાઓ, કમરનો દુખાવો, ઊલટી, શ્વેતપ્રદર, માસિકની સમસ્યાઓ માટે આજે અમે તમને બેસ્ટ નુસખાઓ જણાવી રહ્યાં છે. આ તરત જ અસર કરશે. ચાલો જાણીએ.
સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા. તેના ઉપાય માટે એક ચમચી કાળા તલને અડઘો કપ પાણીમાં ઉકાળવું, પછી તેમાં થોડો ગોળ નાખી પી જાઓ.
અડધાં પાકાં કેળામાં 2 ચમચી આમળાનો રસ અને સાકર મિક્સ કરી પીવાથી સ્ત્રીઓમાં શ્વેતપ્રદર અને બહુમૂત્ર રોગ મટે છે. જીરા અને સાકરનું ચૂર્ણ સમાન માત્રામાં મિક્સ કરી રોજ 1 ચમચી લેવાથી શ્વેતપ્રદર મટે છે.
તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.
કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.
માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.
સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ભૂખ લાગે છે.
સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.
સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.
ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.
તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.