ઘણાં લોકોને કબજિયાત, શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ હેરાન કરતી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો અમે અહીં ત્રણ ઘરેલૂ ઉપાય જણાવી રહ્યાં છીએ જેને અપનાવી તમે પેટ સંબંધી આ બધી જ સમસ્યાઓમાં રાહત મેળવી શકો છો. ચાલો જાણી લો.
કબજિયાત રોગોનું ઘર છે
આ ઉપાય પેટની સમસ્યાઓ કરશે દૂર
પેટમાં દુખાવો અને બળતરા માટે બેસ્ટ છે લસણ
લસણ
કબજિયાતથી પીડાતા લોકોએ જમવામાં લસણનું સેવન કરવું જોઇએ, લસણ મળને કોમળ બનાવે છે અને સરળતાથી તમારા આંતરડાની બહાર નીકળવવામાં મદદ કરે છે. તેમા રહેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટમાં થાતા સોજાને પણ ઓછો કરે છે.
મેથી
મેથી પણ કબજિયાતની સમસ્યા માટે ઉત્તમ મનાય છે, દરરોજ સૂતા પહેલા એક ચમચી મેથીનું ચૂરણ પાણીમાં મેળવી ને પીવું જોઇએ. મેથી સવારે તમારા પેટને સાફ કરવામાં મદદરૂપ સાબિત થશે. દરરોજ દહી ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
પાણી
પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે, આપણે દિવસભરમાં 8થી10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઇએ.સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાનામોટા રોગોનો નાશ થઇ જાય છે. સવારે ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કારણકે કબજિયાતનું મૂળ કારણ શરીરમાં પાણીની કમી હોય છે. ગરમ પાણી તમારા શરીરમાં જમા થયેલા કચરાને સરળતાથી બહાર કાઢી દે છે.