આમ તો ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. પણ અત્યારે ચોમાસાની સીઝન પણ શરૂ થઈ ગઈ છે અને આ સીઝનમાં પાચનશક્તિ નબળી થઈ જાય છે. બફારો પણ આપણાં પાચન પર અસર કરે છે. જેના કારણે માથું દુખવા લાગે છે અને ખાટાં ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું. જેથી આજે અમે તમને કેટલાક નાના-નાના અને કારગર નુસખા જણાવીશું, જે તમારી આ બધી સમસ્યાઓ દૂર કરશે.
ચોમાસામાં વધી જાય છે પેટની સમસ્યાઓ
આ દેશી ઉપચાર મટાડશે ગેસ, ખાટાં ઓડકારની પ્રોબ્લેમ
ઘરે જ બધાં માટે કરી શકો છો આ ઉપાય
મેથીના દાણા
વધુ ખાઈ લેવાને કારણે ગેસની સમસ્યા થાય છે, જેમાં અડધી ચમચી મેથી દાણાની સાથે થોડું સિંધવ મીઠું મિક્સ કરીને ખાવાથી તરત રાહત મળશે, કબજિયાત માટે પણ આ રામબાણ ઉપાય છે
આદુ
ગેસ થયો હોય તો આદુના કટકાને ધીરે-ધીરે ચાવીને તેનો રસ ચૂસવાથી 15 મિનિટમાં જ ગેસની સમસ્યામાં રાહત મળે છે, નિયમિત પ્રયોગથી ગેસની તકલીફ દૂર રહે છે
અળસી
દરરોજ એક ચમચી અડસી કે તેનો પાઉડર ખાવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
બેકિંગ સોડા
1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવાથી ગેસ અને અપચાની સમસ્યામાં રાહત મળે છે.
જીરું
1 ગ્લાસ છાશમાં 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર મિક્સ કરીને પીવાથી ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે.
ફુદીનાના પાન
જો ભોજન કર્યા બાદ પેટ ભારે લાગે તો ફુદીના તાજા પાન ચાવીને ખાઈ લેવા, તરત આરામ મળશે
પાઈનેપલ
પાઈનેપલમાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સારું રાખે છે. રોજ પાઈનેપલ ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે