આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલોપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પારંપરિક ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. ચાલો જાણીએ એવા જ રામબાણ ઈલાજ.
કેટલાક અસરકારક નુસખાઓ
કમરના દુખાવાને દૂર કરવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ અને ચપટી મીઠું મિક્સ પીવો. દિવસમાં 2વાર આ પાણી પીવાથી આ સમસ્યામાં આરામ મળશે.
બ્લેકહેડ્સને જડથી દૂર કરવા માટે લીંબુના રસ માં તજનો પાઉડર મિક્સ કરી પેસ્ટ બનાવી રાતે ચહેરા પર લગાવો અને સવારે પાણીથી ચહેરો ધોઈ લો. બ્લેકહેડ્સ ગાયબ થઈ જશે.
બોડીના કોઈપણ ભાગ પર રેશિઝ પડ્યા હોય તો ઓલિવ ઓઈલ લગાવવાથી તે દૂર થઈ જાય છે.
શરદી થઈ હોય તો 1 કપ દૂધમાં અડધી ચમચી મરી પાઉડર અને 1 ચપટી હળદર પાઉડર મિક્સ કરીને પીવાથી તરત ફાયદો થાય છે. 3 દિવસ સુધી રોજ સવારે આવું દૂધ પીવો.
રોજ બપોરે અને રાતે જમ્યા બાદ થોડો ગોળ ખાઈ લેવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે અને ખોરાક સરળતાથી પચે છે.
તજ અને લવિંગને સમાન માત્રામાં લઈ પીસી લો. પછી તેનો પાઉડર જમ્યા બાદ ખાઓ. તેનાથી મોંની દુર્ગંધની સમસ્યા દૂર થઈ અને એસિડિટીનો પ્રોબ્લેમ પણ મટશે.
જાયફળ પાઉડરને કાચાં દૂધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો. 10 દિવસ રોજ આ ઉપાય કરવાથી એક્નેનો પ્રોબ્લેમ દૂર થાય છે.
પપૈયા, દ્રાક્ષ, અંજીર અને ઓરેન્જ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રોજ સવારે 4-5 રાતે પાણીમાં પલાળેલાં અંજીર ખાવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.
કફની સમસ્યા રહેતી હોય તો 2-3 લવિંગને તવી પર શેકીને મોંમાં રાખીને ખાવાથી ફાયદો થાય છે.