આજકાલની લાઈફસ્ટાઈલ, ખાવા પીવામાં બેદરકારી, જંકફૂડનું સેવન લોકોને આંતરિક રીતે નબળાં બનાવી રહ્યું છે. સારો ખોરાક ન ખાવાથી ઈમ્યૂનિટી તો ઘટે જ છે સાથે જ શરીરમાં અન્ય સમસ્યાઓ પણ ઘર કરવા લાગે છે. શરીરમાં અશક્તિ અને થાક અનુભવાય છે. એવામાં કેટલાક ઘરેલૂ ઉપાય કરીને શરીરને શક્તિવર્ધક રાખી શકાય છે. જેથી આજે અમે તમને ગોળ અને દૂધનો એવો જબરદસ્ત ઉપાય જણાવવાના છે, જેને અજમાવીને તમે થાક અને અશક્તિની સમસ્યાને દૂર કરી શકશો.
સતત થાક લાગતો હોય તો કરો આ ઉપાય
ગોળનો આ ઉપાય અશક્તિ પણ કરશે દૂર
રોજ આ મેજિકલ ડ્રિંક પીવાનું શરૂ કરી દો
દૂધ અને ગોળ બંને શરીર માટે ફાયદાકારક હોય છે. દૂધમાં ગોળ મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને વધારે લાભ મળે છે. ખાસ કરીને લોકો સાદુ કે ખાંડવાળું દૂધ પીવાનું પસંદ કરતા હોય છે જોકે ગોળને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી શરીરને કેલ્શિયમ આયર્ન પ્રોટીન લેક્ટિક એસિડ વિટામિન A અને વિટામિન D પણ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. શરીરને તાકાત મળે છે અને થાક દૂર થાય છે.
ગોળવાળું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂર ગરમ કરીને તેમાં એક ગાંગડો ગોળ નાખીને ગેસ બંધ કરી દો. આવું દૂધ રોજ રાતે સૂતા પહેલાં પીવો. દૂધ અને ગોળ બંનેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે જે શરીરના સ્વસ્થ રાખવાની સાથે હાડકાંઓને બિમારીઓ-ઓસ્ટિયોપોરાસિસ અથવા તો ઉંમરની સાથે થતાં સાંધાના દુખાવાથી સુરક્ષિત રાખે છે. આ માટે દરરોજ ગોળનો નાનો ટુકડો આદુની સાથે ખાવો અને ગરમ દૂધ પીવો.
પાચનથી જોડાયેલી સમસ્યાને ઠીક કરવા માટે ગોળ અને દૂધ બંને લાભકારી છે. આ બંનેમાં રહેલુ પોષણ પેટમાં સારા બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે ગોળવાળું દૂધ પીવાથી ભોજન સરળતાથી પચવા લાગે છે. પેટમાં ગેસ બનવાની પરેશાની દૂર થાય છે.
જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવું જોઇએ. અનિદ્રાની સમસ્યા દૂર થઇ જાય છે. ગોળના સેવનથી લોહી શુદ્ઘ થાય છે અને દૂધ શરીરમાં ઉર્જા બનાવી રાખે છે જે શરીરને રિલેક્સ મુદ્રામાં લાવે છે.
મહિલાઓને પીરિયડ્સના દુખાવાથી બચવા માટે ગરમ દૂધમાં ગોળનો ટુકડો નાખીને પીવું જોઇએ. ડૉક્ટર હંમેશા મહિલાઓને થાક અને નબળાઇને દૂર કરવા માટે ગોળ ખાવાની સલાહ આપે છે. જો ગર્ભવતી દરરોજ ગોળ ખાય તો તેણે એનિમીયા નથી થતો.
ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર કરવામાં આવે છે જેમાં ઓછી કેલેરી હોય છે. આ કારણથી રોજ રાત્રે ગોળવાળું દૂધ પીવામાં આવે તો શરીરમાં જમા ફેટ ઓછી થવા લાગે છે.
અસ્થમાથી રાહત મેળવવા માટે શરીરમાંથી કફનું નીકળવું ખૂબ જ જરૂરી છે. જો દરરોજ રાતે ગોળવાળું દૂધ પીવામાં આવે તો અસ્થમાની બિમારીથી રાહત મળશે.