આદુમાં અઢળક ઔષધિય ગુણો રહેલાં છે. આ વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. એટલે તો આદુનો અનેક વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. આદુને રોગોનું મારણ માનવામાં આવે છે. આદુની તાસીર ગરમ હોય છે જેથી ચોમાસા અને ઠંડીમાં આદુવાળી ચા પીવાના ફાયદા જ ગજબના છે. હાલ મેઘરાજા મહેરબાન છે. ત્યારે આ સીઝનમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા અને કેટલાક ફાયદા મેળવવા રોજ 1 કપ આદુવાળી ચા પી લો.
આદુવાળી ચા પીવાના છે ગજબ ફાયદા
રોજ 1 કપ આદુવાળી ચા પીવી જોઈએ
ચોમાસામાં રોગોને દૂર રાખશે
આદુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે એટલુ જ નહી પણ શરીરના તમામ અંગોને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તેમાં આદુ નાંખીને જ પીઓ. આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત,પિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતાં અનેક રોગો સામે રક્ષણ મળે છે.
શરદી-ખાંસી થાય દૂર
જો તમને કાયમ શરદી રહેતી હોય અને અથવા તો ખાંસી રહેતી હોય, તેના કારણે તમે બેચેની અનુભવતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આદુવાળી ચા તમારી આ સમસ્યાને કાયમી દૂર કરી દેશે કારણ કે આદુવાળી ચા પાવીથી તમને ગરમી મળશે અને શરદી ખાસીમાં રાહત થશે.
ભૂખ ન લાગવાની સમસ્યા થશે દૂર
ઘણાં લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભૂખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ. આદુવાળી ચા પીવાથી ભૂખ લાગે છે. આદુવાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઇમ રિલીઝ કરે છે. જેનાથી ભૂખ વધી જાય છે.
પાચન બને મજબુત
જો તમારી પાચન ક્રિયા નબળી હોય તો ખાવાનુ યોગ્ય રીતે પચતું નથી. જેના કારણે કબજિયાતની સમસ્યા ઉભી થાય છે. આદુ વાયુ છુટો કરે છે. જેના કારણે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ યોગ્ય રીતે થતા કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
આળસ થાય છે દૂર
આદુ શરીરને ઉર્જાવાન બનાવે છે. આદુવાળી ચા પીવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા બની રહે છે. રોજ આદુ વાળી ચા પીઓ અને પછી જુઓ દિવસભર પહેલાં કરતા પણ કેટલા વધારે એક્ટિવ રહો છો.
તણાવમાંથી રાહત અપાવે છે
આદુવાળી ચા તમારો તણાવ ઓછો કરે છે. આમ આદુના સ્ટ્રોન્ગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટીઝના કારણે તણાવમાંથી મુક્તિ મળે છે.
બ્લડ સર્કુલેશનને સુધારે છે
આદુવાળી ચામાં જોવા મળતા વિટામિન, મિનરલ્સ અને અમીનો એસિડ બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે, જેનાથી કાર્ડિયોવેસ્કુલર સમસ્યાની સંભાવના ઓછી થઇ જાય છે.