કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તેને આપણા રોજિંદા ડાયેટમાં સામેલ કરવા જોઇએ. ક્યારેક એવા સવાલો પણ આવતા હોય છે કે કાચા કેળા ખાવા સારા કે પાક્કા. કાચા કેળાથી પાક્કા બનવાની સફરમાં તેમાં રહેલા વિટામિન્સ બદલાતા રહે છે એ પણ હકીકત છે. ખુબ જ પાકી ગયા હોય તેવા કેળાને વ્યક્તિઓ પસંદ કરતા નથી. આમ તો તમામ પ્રકારના કેળા હેલ્થ માટે ગુણકારી છે.
કાચા કેળામાં ભરપૂર ફાઇબર હોય છે
પાકીને કાળા પડી ગયેલા કેળામાં શુગર વધુ હોય છે
બ્રાઉન કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે.
કેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે. કેટલાક લોકો એવા પણ છે જેને પાકીને કાળા પડી ગયેલા કેળા ભાવે છે. તો કોઇને ઓછા પાકેલા હોય તેવા કેળા ખાવા ગમે છે. આ દરેક તબક્કામાં તેની અંદર રહેલા વિટામિન્સ અને મિનરલ્સ અલગ અલગ હોય છે. કાચા કેળામાં ભરપૂર ફાઇબર્સ હોય છે જે શરીર માટે ખુબ ઉપયોગી છે. તેથી આ કેળા ખાવા બેસ્ટ ગણી શકાય. જોકે કોઇ આવા કેળા ખાવાનું પસંદ કરતુ નથી. સંપૂર્ણ રીતે પાકી ગયેલા કેળા જ લોકોને પસંદ પડતા હોય છે. કાચા કેળા ખાવામાં મજા ન આવે, પરંતુ તેનો અન્ય રીતે ઉપયોગ કરી શકાય અને તેમાંથી કંઇક બનાવી શકાય. કાચા કેળામાં પ્રોબાયોટિક પણ હોય છે તેથી તે પાચનતંત્ર માટે પણ ઉપયોગી છે.
કાચા કેળામાં શુગર ઓછી હોય છે
વધુ પડતા પાકી ગયેલા કેળા ખાવા પણ બહુ સારા નથી તેથી તે એક લિમિટ સાથે ખાવા જોઇએ. વધુ પડતા પાકી ગયેલા કેળામાં શુગર લેવલ વધુ હોય છે તેથી તેને અવોઇડ કરવા જોઇએ. કાચા કેળામાં શુગર ઓછી હોઇ ડાયાબિટીસના દર્દીઓ પણ તે ખાઇ શકે છે. મોટેભાગે આવા કેળાનો ઉપયોગ ચિપ્સ બનાવવા માટે થાય છે. યલો કલરના બનાના એટલે કે થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે કેળા
યલો અને લાઇટ ટપકાવાળા કેળામાં એન્ટિઓક્સિડેન્ટ લેવલ ઉંચુ હોય છે. કેળા તૈયાર થવાની સાથે તેની અંદરની કોમ્પ્લેક્સ શુગરનું રૂપાંતર સિમ્પલ શુગરમાં થાય છે. જેને લીધે તે પચવામાં સરળ બને છે. તે માઇક્રો ન્યૂટ્રિઅન્સ ગુમાવી દે છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આવા કેળામાં શુગરનું પ્રમાણ વધુ હોય છે
પાકી ગયેલા કેળા એક દિવસ રાખી મુકવામાં આવે તો તેની છાલ પર મોટા ડોટ દેખાવા લાગે છે. આ કેળામાં શુગરનુ પ્રમાણ વધવા લાગે છે. તેમાં મિનરલ્સ અને વિટામિન્સનું પ્રમાણ પણ ઘટવા લાગે છે, પરંતુ તેનાથી પાચનશક્તિ વધુ મજબૂત બને છે. જો આ કેળા હજુ એક દિવસ બહાર રાખવામાં આવે તો તેમાં શુગર લેવલ વધી જાય છે અને ફાઇબર એકદમ ઘટી જાય છે. પરંતુ તે એન્ટિઓક્સિડેન્ટનું પાવરહાઉસ હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ આવા કેળાં ન ખાવા જોઇએ.