ઘણાં લોકો એવા હોય છે જે ઘીના નામથી જ દૂર ભાગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે જેમાં સો પ્રકારના ગુણ હોય છે. જે એક દવાની જેમ કામ કરે છે. અત્યારે બધાં જ ઘી ખાવાની સલાહ આપે છે. એમાં પણ ગાયનું ઘી શરીરના અનેક રોગોને ખતમ કરવામાં મદદ કરે છે. રોજ 2 ચમચી ઘી ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઈએ. તો આજે જાણી લો ઘી ખાવાના અદભૂત ફાયદાઓ.
અનેક રોગોનો ખાતમો કરે છે ઘી
ગાયનું ઘી દવાની જેમ અસર કરે છે
રોજ ઘી ખાવાની રોગો રહે છે દૂર
ઈન્યૂનિટી વધારે
દેશી ઘી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં હેલ્પ કરે છે, જેનાથી વ્યક્તિને ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. ગાયનું ઘી ખાવાથી તમારું ભોજન જલ્દી ડાઇજેસ્ટ થાય છે અને મેટાબોલિઝમ યોગ્ય રહે છે.
ત્વચામાં નિખાર લાવે છે
ગાયના ઘીમાં ખૂબ જ વધારે માત્રામાં ઓન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ચહેરાની ચમકને જાળવી રાખે છે. સાથે ડ્રાયનેસને પણ ઓછી કરે છે. માટે તમે ગાયના ઘીથી રોજ ડાયટમાં સામેલ કરવું.
કોલેસ્ટ્રોલ ઓછું કરવું
ઘી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં હેલ્પ કરે છે. માટે જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો તમારી ડાયટમાં ગાયનું ઘી જરૂર લેવું.
કબજિયાતને દૂર ભગાડે છે
જો તમને કબજિયાતની સમસ્યા છે તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સૂતા પહેલાં ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી મિક્સ કરીને પીવું જોઇએ.
વજન કંટ્રોલમાં રહે છે
ગાયનું ઘી ઇન્સુલિનની માત્રાને ઓછી રાખે છે, જેનાથી વજન વધવા અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે. ગાયનું ઘી મેટાબોલિઝમને યોગ્ય રાખે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.
માઇગ્રેનથી બચાવે
માઇગ્રેન થવા પર માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. મહિલાઓને માઇગ્રેન દરમિયાન ઉબકા અને ઊલટી પણ થવા લાગે છે. આ માટે દરરોજ સવાર-સાંજ ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવાં. આ ઉપચાર કરવાથી દિમાગ ફ્રેશ રહે છે અને એલર્જી પણ દૂર થાય છે.
કફ દૂર કરવો
ગાયનું ઘી ખાવાની સાથે લગાવવું પણ ફાયદાકારક સાબિત થાય છે. બાળકોને જ્યારે કફની ફરિયાદ હોય ત્યારે ગાયના ઘીને ગરમ કરીને તેમાં થોડું મીઠું મિક્સ કરી છાતી, ગળા અને પીઠ પર માલિશ કરવાથી કફ એક જ દિવસમાં છૂમંતર થઇ જાય છે.