આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ખાઈ શકીએ છીએ. ભોજનમાં લીલા મરચાનો વઘાર ભોજનના સ્વાદને બમણો કરી દે છે. એટલા માટે જ ભારતીય ભોજનમાં તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. લીલું મરચું માત્ર ખાવાનો જ સ્વાદ નથી વધારતું પણ તે ઔષધીનું પણ કામ કરે છે. તેમાં શરીરના અનેક રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. જેથી રોજ ભોજન સાથે એક લીલું મરચું ખાવું જોઈએ. તેનાથી ઘણાં ફાયદા મળે છે. ચાલો જાણીએ.
લીલા મરચાંમાં બીટા કેરોટીન, એન્ટીઓક્સિડેન્ટ્સ અને એડોર્ફિન્સ હોય છે. લીલાં મરચાંને ખોરાક સાથે લેવાથી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, સ્કિનમાં કાંતિ આવી જાય છે.
જે લોકોને વારંવાર શરદી અને ખાંસીની તકલીફ રહેતી હોય તેઓ રોજ એક લીલું મરચું ભોજન સાથે ખાઈ લે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આવી સમસ્યાઓ દૂર થાય છે.
લીલાં મરચાં ઈન્ફેક્શન દૂર કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી તેને રોજ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.
લીલા મરચાને નિયમિત રીતે સેવન કરવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે.
લીલુ મરચું શરીરના પાચનતંત્રમાં સુધારો કરે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. એટલા માટે તે કબજિયાતને દૂર કરી દે છે.
લીલુ મરચું ઝડપથી પચી જાય છે. સાથે જ શરીરના પાચનતંત્રમાં પણ સુધારો કરી દે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. એટલા માટે તે કબજિયાતને દૂર કરી દે છે.
લીલુ મરચું પુરુષોએ જરૂર ખાવું જોઈએ, કારણ કે તેના નિયમિત સેવનથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો દૂર થાય છે.
લોહીમાં હિમોગ્લોબિનની ખામી હોવાથી રોજ ભોજનની સાથે જ લીલુ મરચુ ખાઓ. થોડા જ દિવસોમાં આરામ મળી જશે.
મરચુ ખાવાથી મગજમાં એક વિશેષ પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જે તમારા મૂડને હળવો કરી દે છે.
એક રિસર્ચ પ્રમાણે એ વાત સામે આવી છે કે લીલુ મરચુ ખાવાથી ફેફસાના કેન્સર સામે બચાવ થાય છે. જો તમે સ્મોકિંગ કરતા હો તો તમારે લીલું મરચું જરૂર ખાવું જોઈએ.