ભાજપનો ગઢ ગણાતી, ભાજપ માટે લક્કી ગણાતી અને ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી આપનારી રાજકોટ વેસ્ટની બેઠક ચર્ચાનો વિષય બની છે. પુર્વ સીએમ વિજય રૂપાણીને રાજકોટમાંથી ટિકિટ મળવાની શક્યતાઓ સેવાઇ રહી છે. હવે રુપાણીની સામે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવાનુ રહ્યુ.
રાજ્યને ત્રણ મુખ્યમંત્રી આપનાર રાજકોટ પશ્વિમની બેઠકનું ગણિત
બીજેપી માટે 'લક્કી' છે આ સીટ
વિજય રૂપાણીને રાજકોટમાંથી ટિકિટ મળવાની શક્યતા
ભાજપનો ગઢ ગણાતી, ભાજપ માટે લક્કી ગણાતી અને ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી આપનારી રાજકોટ વેસ્ટની બેઠક ચર્ચાનો વિષય બની છે. રાજકોટ વેસ્ટ ભાજપ માટે સૌથી બેસ્ટ ગણવામાં આવી રહી છે. કારણ કે દરેક ચુંટણીમાં આ સીટના મતદારોએ ભાજપના ઉમેદવારીને ખોબલે-ખોબલે મત આપી વિજપ અપાવ્યો છે. આવું પણ કહેવામાં આવે છે કે, આ આ સીટ પર ભાજપનો ઉમેદવાર મેદાનમાં ઉતરે એટલે જીત પાક્કી જ હોય છે! હવે પુર્વ સીએમ વિજય રૂપાણીને રાજકોટમાંથી ટિકિટ મળવાની શક્યતાઓ સેવાતા રુપાણી સામે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવાનુ રહ્યુ. તો બીજી બાજુ આ વખતે પાટીદારો પણ ટિકિટની માંગ કરી રહ્યા છે. સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ જણાવ્યું કે પશ્ચિમ બેઠક પર અમારા સવા લાખ મતદારો છે હોવાથી અમને ટિકિટ આપવી જોઇએ.
કેમ છે 'લક્કી' આ સીટ
આ સીટને ભાજપ માટે લક્કી એટલા માંટે કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા એની પાછળ રાજકોટનો મોટો ફાળો છે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. જેને લઇને ભાજપ માટે 'લક્કી' માનવામાં આવે છે. ઘણા સમયથી આ બેઠક પર કોને ટિકિટ મળશે તેવુ ચર્ચાઇ રહ્યુ છે. હવે આ રેસમાં વિજય રૂપાણીનું નામ ચર્ચાઇ રહ્યું છે. વજુભાઇને આ સીટના મતદારોએ 5 વખત જીત અપાવી છે. 2014માં વિજયભાઇને 24 હજારની લીડ મળી હતી.
2017ની ચુંટણીઓમાં પાટીદાર બેઠકોમાં નુકસાન થયુ હતુ
ચૂંટણીમાં પાટીદાર સમાજના ગઢ સમાન અમરેલી, જૂનાગઢ, જામનગરમાં ભાજપનો પ્રદર્શન ચાલ્યું ન હતું. એટલુ જ નહિ પરંપરાગત બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્રની 22 સીટમાંથી 15 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, આ 22 સીટમાંથી ભાજપને માત્ર 9 અને કોંગ્રેસને 13 સીટ મળી હતી.
1985થી છે ભાજપનો દબદબો
1985થી રાજકોટ વેસ્ટ સીટ પર ભાજપનો દબદબો છે, જેમાં 2002માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજકીય સફરની પહેલી ચૂંટણી લડ્યા હતા, જોકે વજુભાઈ વાળાને રાજ્યપાલ બનતા 2014ની પેટાચૂંટણીમાં વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડ્યા હતા અને 24978 મતની જંગી બહુમતીથી ચૂંટાયા હતા. આ વર્ષે આપ પણ જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઇને ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ રોડ શો કર્યા હતા, તેમાં રાજકોટ પણ સામેલ હતું. રાજકોટમાં કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, તેમાં મહિલાઓ પણ સામેલ હતી અને પાર્ટીના ઝંડા લઇને રાજકોટવાસીઓએ કેજરીવાલનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.