શિયાળામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. જે લોકોને લોહી જાડું થઈ જવાની સમસ્યા હોય તેમણે આ સિઝનમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જો લોહી જાડું હશે તો યોગ્ય રીતે શરીરમાં પરિભ્રમણ કરી શકશે નહીં, જેથી હાર્ટ સંબંધી સમસ્યાઓ વધી શકે છે અને લોહી જાડું થવાથી લોહી ગંઠાઈ જાય છે જેના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગોમાં લોહીનું પહોંચતું નથી. જેથી આ સમસ્યાથી બચવા અને બ્લડને નેચરલી પાતળુ રાખવા આ નેચરલ ઉપાયો અજમાવી લો.
બ્લડને નેચરલી પાતળુ રાખવા ડાયટમાં ખાઓ આ 5 ફૂડ્સ
દવાઓ ખાવાની જરૂર નહીં પડે
લોહી જાડું થવાથી લોહી ગંઠાઈ જાય છે
આ રીતે લોહીને રાખો પાતળુ
હાર્ટએટેક, સ્ટ્રોક અને બ્લડપ્રેશરથી બચવા માટે આપણે કેટલાક આહારની મદદથી લોહીને પાતળુ રાખીને ઘાતક રોગોથી બચી શકીએ છીએ. આ ખોરાકમાં રહેલાં લોહીને પાતળુ કરતાં નેચરલ એજન્ટ્સ લોહીને જાડું થતાં અને લોહી ગંઠાવાની સમસ્યાને દૂર કરીને લોહીને પાતળુ કરે છે.
લાલ મરચું
લાલ મરચાંમાં કેટલાક એવા પદાર્થ રહેલાં હોય છે જે લોહી ગંઠાવાની સમસ્યા દૂર કરીને લોહીનું પરિભ્રમણ વધારે છે. આ હાર્ટ માટે પણ સારું માનવામાં આવે છે. સાથે જ તેનું સેવન હાર્ટ એટેક અને સ્ટ્રોકના રિસ્કને પણ દૂર કરે છે.
લસણ
લસણને ડાયટમાં સામેલ કરવાથી તે લોહીને પાતળુ રાખે અને બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. આ સાથે બ્લડ વેસલ્સમાં ગંઠાયેલા લોહીને નોર્મલ કરે છે. તેના માટે તમે ગાર્લિક કેપ્સુલ્સ કે ખોરાકમાં લસણનો ઉપયોગ કરી શકો છો.
દાડમ
દાડમ કે તેના જ્યૂસનું સેવન કરવાથી લોહી પાતળુ રહે છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે. દાડમમાં કેટલાક એવા ખાસ એન્જાઈમ હોય છે જે લોહી ગંઠાઈ જવાની સમસ્યાને દૂર કરે છે અને લોહીને પાતળુ કરે છે.
આદુ
લોહીને પાતળુ કરવા માટે તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો. આદુ હાર્ટ માટે સારું માનવામાં આવે છે સાથે જ તે લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. આદુ શરીરમાં થતી બળતરાને દૂર કરીને મસલ્સને રિલેક્સ કરે છે.
સાબૂત અનાજ
સાબૂત અનાજમાં (જવ, કોર્ન, ઓટ્સ, ઘઉંના ફાડા, બ્રાઉન રાઈસ) ભરપૂર પ્રમાણમાં વિટામિન ઈ હોય છે જે લોહીને જાડું થતાં અને લોહી ગંઠાવાના ખતરાને દૂર કરે છે સાથે જ શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. લોહીને પાતળુ કરવા માટે સાબૂત અનાજ ઉત્તમ ખોરાક માનવામાં આવે છે.