બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / best food combination to treat iron deficiency health tips

Health Tips / લોહીની ઉણપને દૂર કરવા માટે દરેક શાકમાં નાખો આ એક વસ્તુ, આ 4 ફૂડ કોમ્બિનેશન પણ દૂર કરશે સમસ્યા

Arohi

Last Updated: 07:32 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી શોધમાં જાણવા મળ્યું છે કે જો તમે આયર્ન રિચ ફૂડની સાથે લીંબુના રસનું સેવન કરો તો તેનાથી આયર્ન ઈન્ટેક સારી રીતે થાય છે સાથે જ સારી રીતે આયર્ન અબ્ઝોર્બ થઈ શકે છે.

  • આયર્નથી ભરપુર શાકને બનાવો વધુ હેલ્ધી  
  • બનાવતી વખતે નાખો આ એક વસ્તુ 
  • જાણો તેના ફાયદાઓ વિશે 

મેડિકલ ટર્મમાં કહેવામાં આવે તો એનીમિયા એક એવી સ્થિતિ છે જે શરીરમાં પુરતા લાલ બ્લડ સેલ્સ નથી બનાવી શકતા. એનીમિયાના સૌથી સામાન્ય લક્ષણ હોય છે આયર્નની કમી અથવા શરીરમાં આયર્નનું જરૂરી શોષણ ન થયું હોય. જણાવી દઈએ કે એનીમિયા સંપૂર્ણ રીતે તમારા ભોજન પર નિર્ભર કરે છે. જેને ડાયેટમાં ફેરફાર કરીને ઠીક કરી શકાય છે. 

એક રિપોર્ટ અનુસાર મોટાભાગના વયસ્કોને દરરોજ 7થી 18 ગ્રામ આયર્નનું ઈન્ટેક કરવું જોઈએ. જો તમે શાકાહારી અથવા ગર્ભવતી છો તો તમારે પોતાના ભોજનમાં આયર્ન ઈન્ટેકને લઈને વધારે સતર્ક રહેવાની જરૂર છે. આજે અમે તમને જણાવીશું કે શરીરમાં લોહીની કમીને દૂર કરવા અથવા તેના અવશોષણને સારૂ બનાવવા માટે તમે કયા ફૂડ કોમ્બિનેશનને પોતાની ડાયેટમાં શામેલ કરી શકો છો. 

શરીરમાં લોહીની કમીને દૂર કરવા માટે 5 ફૂડ કોમ્બિનેશન 
વેજિટેબલ જ્યુસમાં મિક્ષ કરો સાઈટ્રિક ફ્રૂટ જ્યુસ 
લીલા શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. તે ઉપરાંત તેમાં મેગ્નીશિયમ, પોટેશિયમ, ઝીંક, ફોલિક એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે. જો તમે તેના જ્યુસની સાથે આંબળા, લીંબુનો રસ મિક્ષ કરીને પીશો તો તેનાથી શરીરમાં આયર્નનું અવશોષણ સારી રીતે થાય છે. 

શાકભાજીમાં નાખો અજમો 
જો તમે આયર્નથી ભરપૂર શાકભાજીને વધારે ફાયદાકારક બનાવવા માંગો છો તો તેમાં અજમો જરૂર નાખો. હકીકતે જ્યારે તમે વેજીટેબરની સાથે અજમાનું સેવન કરો છો તો તેનાથી પણ આયર્ન સારી રીતે અવશોષીત થઈ જાય છે. તમે રોટલીઓમાં પણ અજમો નાખીને ખાઈ શકો છો. 

દાળમાં લગાવો હીંગનો તડકો 
હીંગ સ્વાદ વધારવાનું કામ કરે છે પરંતુ તમને જણાવી દઈએ કે દાળમાં રહેલા આયર્નને શરીરમાં ઈંટેક વધારવું છે તો હીંગનો તડકો લગાવો. આ બ્લડ સર્કુલેશન સારૂ કરવાની સાથે લોહીને પાતળુ કરે છે. 

સુકી દ્રાક્ષ અને કોળાના બીજ
કોળાના બીજમાં ભરપૂર પોષક તત્વો હોય છે. ત્યાં જ સુકી દ્રાક્ષમાં પણ આયર્નની માત્રા સારી હોય છે. આ બન્નેને જો તમે સાથે ખાઓ તો લોહીની કમીને દૂર કરવામાં ખૂબ ફાયદો મળે છે. 

લીંબુ સાથે ખાઓ આયર્ન સપ્લીમેન્ટ 
જો તમે આયર્નના સેપ્લીમેન્ટ્સ અથવા ગોળીઓ લઈ રહ્યા છો તો તેની સાથે લીંબુ પાણીનું સેવન કરો. અમુક શોધમાં જાણવા મળ્યું છે કે આમ કરવાથી આયર્નની કમી દૂર થઈ જશે અને શરીરમાં આયર્ન સારી રીતે એબઝોર્બ થઈ શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ