ચહેરાની ત્વચા સંબંધી સમસ્યાઓને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. તેના માટે પાર્લર જવાની જરૂર નથી. આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેને કરવાથી તમે 40ની ઉંમરમાં પણ 20ના દેખાશો.
સ્કિન માટે બેસ્ટ છે આ ઉપાયો
ચહેરાની સ્કિનને રાખશે એકદમ ટાઈટ
સ્કિનને હેલ્ધી રાખવા નેચરલ વસ્તુઓનો કરો ઉપયોગ
આ ઉપાયો કરવાથી તમારા ચહેરાની સ્કિન ટાઈટ રહેશે. કરચલીઓ નહીં પડે અને રંગત પણ નિખરશે. ઉંમર વધવાની સાથે સ્કિન ઢીલી નહીં પડે અને સ્કિન હેલ્ધી પણ રહેશે. અહીં જણાવેલા ઉપાય તમારી સ્કિન માટે વરદાન સમાન છે.
આ રહ્યાં બેસ્ટ ઉપાયો
ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો.
જ્યારે પણ તમે બહાર જાવ અથવા જઈને આવો તો ચંદન પાઉડરમાં ગુલાબજળ મિક્સ કરી આ પેસ્ટ ત્વચા ઉપર લગાવી દો. આ સિવાય દૂધમાં કેસર પલાળીને રોજ રાત્રે ચહેરા પર લગાવો. સવારે ઊઠીને ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ નાખો. આનાથી સ્કિનમાં નિખાર આવશે. પાકા પપૈયામાં મધ મિક્સ કરીને પણ લગાવી શકો જેથી કાળી પડેલી ત્વચા ગોરી બનશે. સાથે જ કરચલીઓ દૂર થશે.
કરચલીઓથી બચવા કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો. ગુલાબજળમાં 1 ચમચી મધ અને 1 ચમચી મિલ્ક પાઉડર મિક્સ કરીને પેક બનાવો. તેને ચહેરા અને ગરદન ઉપર લગાવીને 20 મિનિટ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ધીમે-ધીમે મસાજ કરતાં પેક કાઢી નાખો અને સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.
2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેક બનાવી શ્યામ ત્વચા પર લગાવી 20 મિનિટ રહેવા દો. પછી ચહેરો ધોઈ નાખો. આ પેક અઠવાડિયામાં બે વાર લગાવો. તમારી સમસ્યા દૂર થઈ જશે.
ચહેરા પર થતી કરચલીઓ દૂર કરવા માટે ગુલાબની પાંખડીઓમાં ગ્લિસરીન ભેળવીને રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવો. સવારે ચહેરો ધોઇ લો. આનાથી ત્વચા પરના ડાઘા દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થશે.
સિઝનમાં ફેરફાર આવતા સ્કિનનું સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવાર-સાંજ ચહેરો ધુઓ. જ્યારે પણ ઘરથી બહાર તડકાંમાં નીકળો સનસ્ક્રીન લોશન લગાવો. પૌષ્ટિક ભોજન લેવાથી સાથે એક્સરસાઈઝ કરવાથી પણ ચહેરા પર નેચરલ ગ્લો આવે છે.
3-4 બદામ રાતે પાણીમાં પલાળી સવારે દૂધ સાથે પીસીને આ પેસ્ટ ચહેરા પર લગાવો. 15 મિનિટ રાખીને ચહેરો ધોઈ લો. આનાથી સ્કિન હેલ્ધી રહેશે અને રંગ પણ ગોરો થશે.