સોનિયા ગાંધી (Sonia Gandhi) કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ બન્યા છે. શનિવારે લગભગ 12 કલાક ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (WC)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે પંજાબના સીએમ અમરિન્દર સિંહે આ નિર્ણયનું સ્વાગત કરતા તેને સર્વશ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો.
CWCની બેઠકમાં રાહુલ ગાંધીના અધ્યક્ષ બની રહેવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ રાહુલ ગાંધી એ માટે તૈયાર નહોતા. બેઠકમાં સર્વસમ્મતિથી સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પાસ કરવામા આવ્યો. રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસમાં અધ્યક્ષ પદ ખાલી હતું અને પાર્ટીએ એકવાર ફરી સૌથી વિશ્વાસુ નેતા તરીકે સોનિયા ગાંધી પર વિશ્વાસ મુક્યો છે.
આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ નિયુક્ત કરવાના નિર્ણયનું સ્વાગત કરતા તેને વર્તમાન સ્થિતિમાં લેવામાં આવેલ સર્વશ્રેષ્ઠ નિર્ણય બતાવ્યો છે.
અમરિન્દર સિંહે ટ્વિટ કર્યું, 'સોનિયા ગાંધીજીને ફરીવાર કમાન સંભાળતા જોઇ ખુશ છું. વર્તમાન સ્થિતિમાં લેવામાં આવેલ આ સર્વશ્રેષ્ઠ નિર્ણય છે. એમનો અનુભવ અને સમજ કોંગ્રેસને યોગ્ય માર્ગ બતાવવામાં મદદ કરશે.' 'હું તેમને અને પાર્ટીને શુભકામના પાઠવું છું.' રાહુલ ગાંધીના રાજીનામા રાજીનામા પાછા નહીં લેવાના પોતાના વલણ પર કાયમ રહ્યા બાદ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)એ શનિવારે મોટુ પગલું ઉઠાવતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષ નિયુક્ત કર્યા.
Happy to see Smt. Sonia Gandhi ji back in the saddle. It was the best decision in the current circumstances. Her experience and understanding will help guide @INCIndia. I wish her and the party all the best. pic.twitter.com/IathmJDkBq
અમરિન્દર સિંહની પત્ની અને પટિયાલાથી સાંસદ પરનીત કોરે પણ ટ્વિટ કરતા સોનિયાને અંતરિમ અધ્યક્ષ બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, 'સોનિયા ગાંધીને ફરીવાર કોંગ્રેસ અધ્ય્ક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. આ નિર્ણયને ઘણી આશા અને દ્રઢતાથી જોઇ રહી છું. આપનો બહુમુલ્ય અનુભવ પાર્ટીને પાટા પર લાવવામાં અમારી મદદ કરશે.