અત્યારે કોરોનાના સંકટ સમયમાં હેલ્ધી રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવી જરૂરી છે. એવી જ એક વસ્તુ છે મુનક્કા. આયુર્વેદમાં મુનક્કાને શરદી-ખાંસી અને કફ દૂર કરવાની સૌથી સારી દવા માનવામાં આવે છે. જાણો ફાયદા.
કોરોના કાળમાં હેલ્ધી વસ્તુઓનું સેવન કરો
મુનક્કા શરદી-ખાંસી અને કફ દૂર કરવાની સૌથી સારી દવા માનવામાં આવે છે
મુનક્કા બોડીમાં હીમોગ્લોબિન પણ વધારે છે
મુનક્કા બોડીમાં હીમોગ્લોબિન પણ વધારે છે. મુનક્કા અને મધ બંનેમાં રહેલાં આયર્ન, કેલ્શિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓના ઈલાજમાં મદદ કરે છે. આખી રાત મુનક્કાને પાણીમાં પલાળી સવારે તેને 1 ચમચી મધમાં મિક્ષ કરીને ખાઓ. આ બંને વસ્તુઓ સાથે ખાવાથી અદભૂત ફાયદાઓ મળે છે.
રોજ કેટલા મુનક્કા ખાવા?
મુનક્કાની માત્રા વ્યક્તિના વજન, ઉંમર અને બીમારી મુજબ ઓછી અને વધુ હોય છે. જોકે એક એવરેજ વ્યક્તિએ એક દિવસમાં પાંચ મુનક્કા ખાવા જોઈએ.
મુનક્કા અને મધના ફાયદા
મુનક્કા અને મધ સાથે ખાવાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે. સ્કિન હેલ્ધી રહે છે. વાળ કાળા અને ભરાવદાર બને છે. સાથે જ શરીરને ભરપૂર પોષક તત્વો મળી રહેતાં ઈમ્યૂનિટી પણ વધે છે. મુનક્કા અને મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેને ખાવાથી પિંપલ્સ દૂર થાય છે.
મુનક્કા અને મધ સાથે ખાવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. આ કિડની અને લીવર પ્રોબ્લેમથી બચાવે છે. સાથે જ તેનું ફંક્શનિંગ પણ સુધારે છે.
મુનક્કા અને મધ સાથે ખાવાથી આમાં પોટેશિયમ હોય છે. તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.
આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ કેન્સરથી બચાવે છે. આમાં બીટા કેરોટીન હોય છે. તેનાથી આંખો હેલ્ધી રહે છે. મોતિયાની પ્રોબ્લેમ થતી નથી.
આ સિવાય રોજ મુનક્કા અને મધ ખાઈ લેવાથી શરદી-ખાંસી અને કફની સમસ્યા સામે રક્ષણ મળે છે. શરીરમાં લોહીની કમી ધરાવતા લોકો માટે પણ આ કોમ્બિનેશન બેસ્ટ છે.
મુનક્કા અને મધ બંનેમાં ફાયબર્સ હોય છે. આનાથી ડાઈજેશન સારું રહે છે અને કબજિયાતમાં ફાયદો થાય છે.